1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: બુધવાર, 26 જૂન 2019 (07:53 IST)

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (26.06.2019)

If Today is your Birthday - Happy Birtdhay
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 26 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 26ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 8 રહેશે. આ ગ્રહ સૂર્યપુત્ર શનિ સાથે સંચાલિત હોય છે. આ દિવસે જન્મેલ વ્યક્તિ ઘીર ગંભીર, પરોપકારી અને કર્મઠ હોય છે. તમારી વાણી કઠોર અને સ્વર ઉગ્ર છે. તમે ભૌતિકવાદી છો. તમે અદ્દભૂત શક્તિઓના માલિકા છો. તમે જીવનમાં જે કંઈ પણ કરો છો તેનો મતલબ હોય છે. તમારા મનને સમજવુ મુશ્કેલ છે.   તમને સફળતા અનેક સંઘર્શ થયા પછી મળે છે. અનેકવાત તમે તમારા કાર્યોનો શ્રેય બીજા લઈ જાય છે.  
 
 
શુભ તારીખ  : 8,  17,  26 
 
શુભ અંક : 8,  17,  26,  35,  44 
 
શુભ વર્ષ : 2015,  2024,  2042
 
ઈષ્ટ દેવ : હનુમાનજી. શનિ દેવતા 
 
શુભ રંગ : કાળો-ઘાટો ભૂરો-જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 8નો સ્વામી અને વર્ષના મૂલાંકનો સ્વામી બુધ છે. તેમની વચ્ચે મિત્રતા હોવાથી બધા કાર્યોમાં સફળતા મળશે. જે અત્યાર સુધી બાધિત રહ્યા તેઓ પણ સફળ થશે.  વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે. નોકરિયાત વ્યક્તિ પ્રગતિ મેળવશે. બેરોજગાર પ્રયાસ કરશે તો રોજગાર મેળવવામાં સફળ રહેશે. શત્રુ વર્ગ પ્રભાવહીન રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી સમય અનુકૂળ જ રહેશે. રાજનૈતિક વ્યક્તિ પણ સમયનો સદ્દપયોગ કરી લાભાન્વિત થશે. 
 
મૂલાંક 8ના પ્રભાવવાલા વિશેષ વ્યક્તિ 
 
- ગુરૂ નાનક 
- જોર્જ બર્નોર્ડ શૉ 
-રાકેશ બેદી 
-ડિમ્પલ કાપડિયા 
- જાવેદ અખ્તર 
- શબાના આઝમી 
- રવિના ટંડન 
- સુભાષ ઘઈ