સંબંધિત સમાચાર
- Ghaziabad Sisters Suicide: ફ્લેટની બાલકનીમાં ખુરશી મુકી અને એક પછી એક કૂદી ત્રણ બહેનો
- India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ એક મોટી કૂટનીતિક જીત છે ?
- India-US Trade Deal: કારથી લઈને કપડાં સુધી, ટેરિફમાં 32% રાહતથી ભારતના કયા ક્ષેત્રોને થશે સૌથી વધુ ફાયદો?
- Trump Tariff India - ટ્રમ્પે ભારત પર લગાવેલ ટેરીફ 25% થી ઘટાડીને 18% કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી વાત
- Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત
સૉરી પપ્પા અને રડતી ઈમોજી.... ગાજિયાબાદની 3 બહેનોની અંતિમ ચિઠ્ઠીમાં એ 'ડાયરી' નો ઉલ્લેખ
Ghaziabad Sisters Suicide
ઉત્તરપ્રદેશના ગાજિયાબાદમાં ત્રણ સગીર બહેનોએ 9 મા માળેથી છલાંગ લગાવી દીધી. આ પહેલા તેમણે એક સુસાઈડ નોટ પણ લખી. આ સુસાઈડ નોટમાં તેમણે મમ્મી-પપ્પાને સુસાઈડ કરવા બદલ માફી માંગી. આ ઘટનામાં ત્રણેયનુ મોત થઈ ગયુ છે. આ ઘટના ગાજિયાબાદના પોલીસ મથક ટીલા મોડ ક્ષેત્રની ભારત સિટી સોસાયટીની છે. હાલ ગાજિયાબાદ પોલીસ આ ઘટનાની તપાસમા લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણેય સગીરાઓએ રાત્રે લગભગ 2 વાગ્યે એકસાથે 9મા માળેથી કૂદી પડ્યા હતા. તેમની ઓળખ નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) તરીકે થઈ છે. તેમનો પરિવાર ભારત સિટી સોસાયટીના ટાવર બી-1 ના ફ્લેટ નંબર 907 માં રહે છે.
સુસાઈડ નોટમાં લખ્યુ - પપ્પા સોરી..
પોલીસે ગાઝિયાબાદમાં ત્રણ બહેનોના આત્મહત્યા કેસની તપાસ શરૂ કરી છે. તેઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે એક ઓનલાઈન ગેમમાં શું કહેવામાં આવ્યું હતું જેના કારણે તેમને એકસાથે આત્મહત્યા કરવી પડી. પોલીસે એક પાનાની સુસાઈડ નોટ પણ મળી છે. તેમાં લખ્યું છે, "આ ડાયરીમાં લખેલું બધું વાંચો કારણ કે તે બધું સાચું છે... મને માફ કરશો, પપ્પા." સુસાઈડ નોટમાં એક છોકરીને રડતી દર્શાવતું ઇમોજી પણ છે. જો કે, સુસાઈડ નોટમાં ઉલ્લેખિત ડાયરીની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ છોકરીઓના મોબાઈલ ફોનની પણ તપાસ કરી રહી છે, જેનાથી ઓનલાઈન ગેમિંગ સંબંધિત ઘણી વિગતો બહાર આવી શકે છે.
મોબાઈલ ગેમ્સની હતી લત
એવું જાણવા મળ્યું છે કે ત્રણેય છોકરીઓ મોબાઈલ ગેમ્સની વ્યસની હતી. તેઓ ઓનલાઈન ટાસ્ક-આધારિત ગેમ કોરિયન લવર રમી હતી. તેઓ એટલી ટેવાઈ ગઈ હતી કે તેઓ તેમની બધી રોજિંદી પ્રવૃત્તિઓ, જેમ કે નહાવા, ખાવા, શાળાએ જવા અને સૂવા, એક સાથે કરતી હતી. તેવી જ રીતે, ત્રણેય છોકરીઓએ એક સાથે ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી. આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે. જો કે, આત્મહત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
સગીર છોકરીઓના આપઘાતની માહિતી મળતાં, મોડી રાત્રે પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલમાં, પોલીસ ટીમ સગીર છોકરીઓના આપઘાત પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
હેલ્પલાઈન
વંદ્રેવાલા ફાઉંડેશન ફોર મેંટલ હેલ્થ - 9999666555 या [email protected]
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી ઉપલ્બધ - સવારે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી)
(જો તમને મદદની જરૂર હોય અથવા તમને ખબર હોય કે કોઈને મદદની જરૂર છે, તો કૃપા કરીને તમારા નજીકના માનસિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞનો સંપર્ક કરો.)
