1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (13:29 IST)

આતંકવાદી હુમલાઓ વચ્ચે અમિત શાહ જશે જમ્મુ-કાશ્મીર, સુરક્ષા સમીક્ષા બેઠકની કરશે અધ્યક્ષતા

ઘાટીમાં વધતી જતી આંતકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે આવીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસની મુલાકાતે રવાના થશે. તેઓ આવતીકાલે શ્રીનગર પહોંચશે અને સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે.
 
ઓગસ્ટ 2019 માં કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહની આ પ્રથમ જમ્મુ -કાશ્મીર મુલાકાત હશે, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં વિકાસના કામોની સમીક્ષાના બહાને અટકેલી રાજકીય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો છે