સંબંધિત સમાચાર
- Zakir Hussain Net worth- પદ્મ વિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત Zakir Hussain જાણો પાછળ કેટલી મિલકત છોડીને ગયા ?
- Winter Weather: દિલ્હી-NCRમાં કોલ્ડ વેવ એલર્ટ, 17 અને 18 ડિસેમ્બરે ભારે વરસાદની ચેતવણી
- ગુજરાતમાં નકલી નોટો ભરેલી બેગ મળી, 3 તસ્કરોની ધરપકડ
- Aaj Nu Rashifal 16 December 2024 - ગ્રહો અને નક્ષત્રોની ચાલ આજે આ 3 રાશિઓને કરાવશે આર્થિક લાભ, જાણો મેષથી મીન સુધીની તમામ રાશિઓનાં હાલ
- AAm AAdmi Party- કેજરીવાલે દિલ્હીની તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા બાદ કહ્યું હતું કે ભાજપ પાસે ન તો સીએમ ચહેરો છે કે ન કોઈ ટીમ.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 15થી 17 ડિસેમ્બર સુધી ભારતનો પ્રવાસ
શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ 15થી 17 ડિસેમ્બર સુધી ભારતનો પ્રવાસ કરશે.
ગત 22 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકે વિજય મેળવ્યો હતો. તે વખતે ભારતીય મીડિયાએ ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તેઓ ડાબેરી પાર્ટીઓના ગઠબંધન નેશનલ
પીપલ્સ પાવર (એનપીપી)માંથી ચૂંટણી લડીને જીત્યા હતા. આ ગઠબંધનની રાજનીતિને ભારત વિરોધી ગણવામાં આવે છે.
દિસાનાયકે તેમની પ્રથમ વિદેશ યાત્રામાં જ ભારત આવી રહ્યા છે. અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે શ્રીલંકામાં ચૂંટણી જીત્યા પછી રાષ્ટ્રપતિ પોતાના પડોશી દેશ ભારતની મુલાકાતને પ્રાથમિકતા આપતા હોય છે.
આ અંગે ભારતીય વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે કે રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેને મળીને તેમને આનંદ થયો છે.
ભારતની નેબરહૂડ ફર્સ્ટ પોલિસીમાં શ્રીલંકા મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીતથી બંને દેશ વચ્ચે વિશ્વાસ અને સહયોગ વધશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
