સંબંધિત સમાચાર
- મહાઅઘાડીની કારમાં ન તો પૈડાં છે કે, ન તો બ્રેક... ડ્રાઈવરની સીટ પર બેસવા માટે લડાઈ થઈ રહી છેઃ પીએમ મોદી
- ભયાનક અકસ્માત !!! ઓટોમાં 4ને બદલે 14 લોકો હતા, ટ્રક સાથે જોરદાર ટક્કર, 11 લોકોના મોત
- ગુજરાતના આ શહેરને 122 કરોડની ભેટ મળી; સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો
- વડાપ્રધાન મોદી આજે ઝારખંડમાં બે રેલીઓને સંબોધશે.
- PM મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે, રુ.284 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
અમરાવતીમાં નવનીત રાણા પર હુમલો કરવાનો પ્રયાસ, ખુરશીઓ ફેંકવામાં આવી
ક્રાઈમ બ્રાન્ચ ગ્રામીણ અમરાવતીના ઈન્સ્પેક્ટર કિરણ વાનખડેએ જણાવ્યું હતું કે ગઈકાલે બીજેપી નેતા નવનીત રાણા દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશ બુંદીલેની તરફેણમાં પ્રચાર કરવા માટે ખલ્લાર ગામમાં આવ્યા હતા. રેલી દરમિયાન બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. અમે નવનીત રાણાની ફરિયાદ પરથી કેસ નોંધ્યો છે.''
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈજીરિયાના પ્રવાસે છે. છેલ્લા 17 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત છે. મુલાકાત દરમિયાન, વડાપ્રધાન ભારત અને નાઈજીરીયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે વધુ તકો અંગે ચર્ચા કરવા માટે વાતચીત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે છે. જ્યાં તેઓ ગઢચિરોલી, વર્ધા અને કાટોલ વિધાનસભા બેઠકો પર ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે હવે માત્ર બે દિવસ બાકી છે. ભાજપ અને કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ આ બંને રાજ્યોમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. મણિપુરમાં ફરી એકવાર હિંસા જોવા મળી છે. ઇમ્ફાલમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
