યૂપીમાં વાવાઝોડાનુ એવુ વિકરાળ રૂપ કે ટીન શેડ સાથે એક વ્યક્તિ હવામાં ઉછળ્યો, વાયરલ થઈ રહ્યો છે Video
Bareilly man flying in storm
ઉત્તરપ્રદેશના અનેક જીલ્લામાં હવામાને તબાહી મચાવી દીધી છે. આંધી-વાવાઝોડુ, આકાશીય વીજળી અને વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 70 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. બીજી બાજુ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થવાનુ પણ જાણવા મળ્યુ છે. પ્રયાગરાજ, ભદોહી, ફતેહપુર અને સોનભદ્ર સહિત અનેક જિલ્લાઓ તબાહીમાં મુકાયા છે. માનવ અને પશુઓના મોતના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. આ વચ્ચે, ઉત્તર પ્રદેશના બરેલીથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ વાવાઝોડાથી હવામાં ઘણા ફૂટ ઉછળતો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શું છે આખો મામલો?
ઉત્તર પ્રદેશમાં આવેલા ભયંકર વાવાઝોડા અને વરસાદે બરેલી જિલ્લામાં પણ તબાહી મચાવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ભારે વાવાઝોડાને કારણે ટીન શેડ સાથે હવામાં ઉડી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાવાઝોડાથી હવામાં ઉડી ગયેલા વ્યક્તિની ઓળખ નન્હે તરીકે થઈ છે. યુવક નીચે પડી જવાથી ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના બરેલીના ભામોરા પોલીસ સ્ટેશન હેઠળના બામિયાના ગામમાં બની હોવાનું જાણવા મળે છે.
बरेली का यह वीडिया हो!
— Md Afzal Alam (@afzalalamjmi) May 13, 2026
तूफान कितना भीषण है इसका अंदाजा इस बात से लगा सकते है कि शख्स आंधी से बचाने के लिए टीन पकड़े खड़ा था।
आंधे ने फूटबॉल की तरह उड़ा दिया।
पूरे उत्तर भारत में भीषण आंधी और तूफान का कहर जारी है।#Storm #Barelly #UP #Breaking #Viral #viralvídeo pic.twitter.com/WDlgXlTBxy
અત્યાર સુધીમાં 70 લોકોના મોત
ભયંકર વાવાઝોડાને કારણે અનેક જિલ્લાઓમાં વૃક્ષો, દિવાલો અને વીજળીના થાંભલા પડી ગયા છે. અત્યાર સુધીમાં મળેલી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં કુદરતી આફતને કારણે 70 લોકોના મોત થયા છે. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સક્રિય છે અને તમામ ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
24 કલાકમાં વળતર આપવાનો આદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિનાશની નોંધ લીધી છે અને અધિકારીઓને 24 કલાકમાં વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટને પણ ફિલ્ડમાં જઈને સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય દરેક જિલ્લામાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને 24 કલાકમાં રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરવા અને પીડિતો સુધી સહાય પહોંચે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે.
