સંબંધિત સમાચાર
- Maharashtra Live: મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય, આવતીકાલે થશે ફ્લોર ટેસ્ટ, કોર્ટે કહ્યુ કે ફ્લોર ટેસ્ટનુ લાઈવ પ્રસારણ થશે
- મહારાષ્ટ્ર કોઈ ગોવા કે મણિપુર નથી, તેમને પાઠ ભણાવીશું : શરદ પવાર
- મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ : અજિત પવાર અને શરદ પવાર સામસામે, સત્તાનાં સમીકરણો કોને ફળશે?
- Maharashtra Crisis 24 કલાક માટે ટળ્યો મહારાષ્ટ્ર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, ફડણવીસને 14 દિવસની મુદત
- મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી તરીકે મેદાનમાં ઊતરેલા ઉદ્ધવ ઠાકરેમાં રાજકીય કુનેહનો અભાવ છે?
Maharastra : 80 કલાકની સરકાર, બહુમતી પરીક્ષણના 24 કલાક પહેલા રાજીનામું
બહુમતી પરીક્ષણના 24 કલાક પહેલા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. હતું. ફડણવીસે પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરી. આ દરમિયાન ફડણવીસે શિવસેના પર જોરદાર હુમલો કર્યો. તેમણે કહ્યું કે શિવસેનાએ અમારી સાથે કોઈ મુદ્દા પર ચર્ચા કરી નથી, પરંતુ એનસીપી અને કોંગ્રેસ સાથે તેની ચર્ચા ચાલુ જ છે.
ફડણવીસે કહ્યું કે આ પ્રેસ કોન્ફરન્સ બાદ હું રાજ્યપાલ પાસે રાજીનામું આપવા રજૂઆત કરીશ. જે પણ સરકાર રચશે તે માટે મારા હૃદયપૂર્વક અભિનંદન. પરંતુ તેમના મંતવ્યોમાં મોટો તફાવત છે, તેથી તે એક અસ્થિર સરકાર હશે.
ફડણવીસે કહ્યું, મહાયુતિને ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી હતી અને ભાજપને સૌથી વધુ 105 બેઠકો મળી હતી. અમે શિવસેના સાથે ચૂંટણી લડી હતી, પરંતુ મેન્ડેટ ભાજપના પક્ષમાં હતું કારણ કે અમે જે બેઠકો પર લડ્યા હતા તેમાં 70 ટકા બેઠક જીતી હતી.
તેમણે કહ્યું કે, અમે લાંબા સમય સુધી પ્રતીક્ષા કરી હતી પરંતુ શિવસેનાએ અમારી સાથે વાત કરવાને બદલે કોંગ્રેસ-એનસીપી સાથે વાત કરી હતી. જેઓ ક્યારેય માતોશ્રીની બહાર ન ગયા તેઓ એનસીપી અને કોંગ્રેસના ઘરે ઘરે જઈ રહ્યા હતા.
મને શંકા છે કે આ ત્રિ-પૈડાવાળી સરકાર સ્થિર રહેશે, પરંતુ ભાજપ એક મજબૂત વિરોધની જેમ જાહેર અવાજ ઉઠાવશે.
અમે કહ્યું હતું કે અમે ક્યારેય હોર્સ ટ્રેડિંગમાં સામેલ થઈશું નહીં, અમે કોઈ ઓછા ધારાસભ્યને તોડવાનો પ્રયાસ કરીશું નહીં. જે લોકો એમ કહેતા હતા કે અમે હોર્સ ટ્રેડિંગ કરીશું, તેઓએ આખું સ્ટેબલ ખરીદ્યો.

