1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
  4. Nashik TCS Sexual Abuse Case

ઓફિસમાં મેંટલ ટોર્ચર, 20-25 વર્ષની યુવતીઓ નિશાના પર, TCS ના ધર્માતરણ કાંડ ની A ટૂ Z સ્ટોરી

TCS suspends Nida khan
મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) માં જાતીય શોષણ અને બળજબરીથી ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. પીડિતોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. આ કેસમાં TCS ના સાત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી, નિદા ખાન, હજુ પણ ફરાર છે. તેને શોધવા માટે બે પોલીસ ટીમો બનાવવામાં આવી છે.
 
આ સમગ્ર મામલો  સામે પણ ન આવતો જો પોલીસ અંડરકવર ઓપરેશન ન ચલાવતી. અંડરકવર ટીમે 40 દિવસ સુધી ઓપરેશન ચલાવ્યુ અને ત્યારબાદ સમગ્ર સિંડિકેટનો ભાંડો ફોડ્યો. આ મામલે 9 FIR નોંધવામાં આવી ચુકી છે. 
 
આ મામલે 8 મહિલા અને 1 પુરૂષ કર્મચારીએ FIR નોંઘાવી છે. અત્યાર સુધી 12 પીડિતોની ઓળખ પોલીસે કરી છે.  શુ છે આ સમગ્ર મામલો  ? કેવી રીતે થયો તેનો ખુલાસો ?  અત્યાર સુધી શુ શુ થયુ ? આવો જાણીએ..   
 
 
કેવી રીતે થયો ભંડાફોડ ?
 
 આ સમગ્ર યોજના ફેબ્રુઆરી 2021 માં શરૂ થઈ હતી. ફેબ્રુઆરી 2026 માં, પ્રથમ પીડિતાએ દેવલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
 
આ પછી, નાસિક પોલીસની સાત મહિલા પોલીસ અધિકારીઓએ TCS ખાતે એક ગુપ્ત કાર્યવાહી હાથ ધરી હતી. ઘણા કોન્સ્ટેબલો હાઉસકીપિંગ સ્ટાફ સાથે ભળી ગયા હતા, અને તમામ માળ અને પ્રતિબંધિત વિસ્તારોમાં તેમની પહોંચ વધારી હતી.
 
સફાઈ અને મેંટેનન્સ સ્ટાફ: આ ટીમે અઠવાડિયા સુધી દૈનિક વાતાવરણ અને વરિષ્ઠ ટીમ નેતાઓના વર્તનનું શંકાસ્પદ રીતે નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓએ ખાસ કરીને ખાનગી મીટિંગો અને મેળાવડાઓ પર નજર રાખી હતી જેથી કર્મચારીઓને ઓફિસના સમય દરમિયાન ધાર્મિક વિધિઓ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાના દાવાઓને સમર્થન આપી શકાય.
 
ટીમે રોજ પોતાના સીનિયર્સને રિપોર્ટ આપી અને આ વાતના સીધા પુરાવા આપ્યા કે કેવી રીતે પીડિતો પર દબાવ નાખવામાં આવી રહ્યો હતો.   
 
અંડરકવર ઓપરેશન દરમિયાન એકત્ર કર્યા પુરાવાના આધાર પર પોલીસે 25 માર્ચના રોજ પહેલી FIR નોંઘાવી. ધીરે ધીરે વધુ પીડિત પણ સામે આવ્યા. અત્યાર સુધી 9 FIR નોંઘાય ચુકી છે. 
 
કોણ કોણ છે આરોપી ? 
 
દાનિશ એજાજ શેખ - વય 32 વર્ષ, કંપનીમાં એસોસિએટના પદ પર છે. 2018 થી કંપનીમાં કામ કરી રહ્યો છે. 
તૌસિફ બિલાલ અત્તર - વય 27 વર્ષ કંપનીમાં એસોસિએટના પદ પર છે. 2017 થી કંપનીમાં કામ કરી રહ્યો છે. 
રઝા રફીક મેમણ: 3 5   વર્ષ. કંપનીમાં ટીમ લીડર હતા. 2017 થી કંપનીમાં કામ કરતો હતો. 
શાહરુખ હુસૈન શૌકત કુરેશી: 34  વર્ષ. કંપનીમાં સહયોગી હતા. ૨૦૧૭ થી કંપનીમાં કામ કરતો હતો. 
મોહમ્મદ શફી શેખ: 36  વર્ષ. કંપનીમાં સહયોગી હતા. 2017 થી કંપનીમાં કામ કરતો હતો. 
આસિફ આલમ આફતાબ આલમ અંસારી: 22  વર્ષ. કંપનીમાં સહયોગી હતા. 2024  થી કંપનીમાં કામ કરતો હતો. 
નિદા એજાઝ ખાન: 25  વર્ષ. કંપનીમાં સહયોગી હતા. 2021 થી કંપનીમાં કામ કરતો હતો. 
અશ્વિની અશોક ચેનાની: 51  વર્ષ. કંપનીમાં ઓપરેશન્સ હેડ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર હતા.
 
આ બધુ કેવી રીતે થતુ હતુ ? 
 
TCS માં સીનિયર કર્મચારીઓનુ પુરૂ નેક્સસ હતુ, જે નવી હિન્દુ યુવતીઓને નિશાન બનાવતુ હતુ.  એક મહિલા કર્મચારીએ બતવ્યુ કે 20 થી 25 વર્ષ ની યુવતીઓને નિશાન બનાવવામાં આવી રહી હતી. તેમણે જણાવ્યુ કે નાસિક ટ્રાંસફર પછી તેમની સાથે ઓફિસની અંદર અમાનવીય વ્યવ્હાર કરવામાં આવ્યો.   
 
મહિલા કર્મચારીએ ચોખવટ કરી કે તેમને ઓફિસની મેન બિલ્ડિંગથી અલગ અગાશી પર બેસાડીને કામ કરાવવામાં આવતુ હતુ. મહિલાએ જણાવ્યુ કે જ્યારે પણ તે વોશરૂમ કે કોઈ કામ માટે નીચે જતી તો સુરક્ષા કે કોઈ અન્ય બહાનાથી તેમનો મોબાઈલ, ફોન, બેગ અને બધો પર્સનલ સામાન જપ્ત કરવામાં આવતો હતો.   
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓની કાર્યપદ્ધતિ મોટાભાગે સુસંગત હતી. ટીમના નેતાઓ અને નિદા ખાન સહિત અન્ય લોકોએ કથિત રીતે ચોક્કસ કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા, તેમને મૌખિક દુર્વ્યવહાર, બળજબરીથી સ્પર્શ અને તેમના ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. દરમિયાન, ઇસ્લામ અને તેની પરંપરાઓને અતિશયોક્તિપૂર્ણ બનાવવામાં આવી હતી, અને પીડિતો પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવ્યું હતું.
 
સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી કર્મચારીઓ મહિલા કર્મચારીઓ પર દબાણ કરવા માટે કંપનીમાં મોડી રાત્રે રોકાતા હતા. એવું બહાર આવ્યું છે કે આરોપીઓ મહિલા કર્મચારીઓને નિયંત્રિત કરવા અને તેમના પર પ્રભુત્વ મેળવવા માટે વિવિધ માનસિક દબાણની યુક્તિઓનો ઉપયોગ કરતા હતા. કોઈપણ કૃત્ય કરતા પહેલા, આરોપીઓ વોટ્સએપ દ્વારા તેમની સંપૂર્ણ વ્યૂહરચના બનાવતા હતા.
 
એક ભૂતપૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું કે "આરોપીઓ, ખાસ કરીને, તેમના સંદેશાવ્યવહારમાં સંપૂર્ણપણે અભદ્ર હતા. તેઓ છોકરીઓને TL ડેસ્ક પર બોલાવતા હતા અને તેમની સામે અશ્લીલ ટિપ્પણીઓ કરતા હતા જે કોઈપણ વ્યાવસાયિક અથવા વ્યાપારી કાર્યાલયમાં અકલ્પનીય હશે." તેઓએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી, તૌસિફ અટ્ટાર, જાણી જોઈને હિન્દુ ધર્મને નિશાન બનાવતો હતો. તહેવારોના પ્રસંગોએ, જ્યારે મહિલા કર્મચારીઓ પરંપરાગત ભારતીય સંસ્કૃતિ મુજબ સાડી પહેરીને અથવા બિંદી લગાવીને આવતી હતી, ત્યારે તૌસિફ જાહેરમાં તેમની મજાક ઉડાવતો હતો.
 

તપાસમાં અત્યાર સુધી શુ-શુ થયુ ?

 
આ સમગ્ર મામલાની તપાસ માટે એસઆઈટી બનાવવામાં આવી છે. અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. આરોપીઓના ફોન રેકોર્ડ અને વોટ્સએપ ચૈટની ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કંપનીના CCTV ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે. 
 
 પોલીસ ફક્ત એક જ કેસમાં પોતાને મર્યાદિત રાખવા માંગતી નથી; તેઓ સમગ્ર નેટવર્કને સમજવા માટે અન્ય કેસોમાં આરોપીઓને ફરીથી પોલીસ કસ્ટડીમાં લેવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓને શંકા છે કે આ કેસ કંપનીની અંદરના ગુનાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ એક મોટું નેટવર્ક સંડોવાયેલ હોઈ શકે છે.
 
સૌથી અગત્યનું, આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય ભંડોળનો ખૂણો હવે આ કેસમાં ઉમેરવામાં આવ્યો છે. અન્ય તપાસ એજન્સીઓ અને મહારાષ્ટ્ર ATS સમગ્ર તપાસ પર નજર રાખી રહ્યા છે. એજન્સીઓ તપાસ કરી રહી છે કે આરોપીઓનો કટ્ટરપંથીકરણ અથવા મગજ ધોવા જેવી પ્રવૃત્તિઓમાં સામેલ આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે કોઈ સંબંધ છે કે નહીં.
 
પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું અન્ય આરોપીઓ પણ નિદા ખાનની જેમ ફરાર થવાની યોજના બનાવી રહ્યા હતા. જો આવા પુરાવા મળશે, તો કેસમાં વધુ ગંભીર આરોપો ઉમેરવામાં આવી શકે છે.
 

ક્યા છે નિદા ખાન ?

 
આ મામલામાં નિદા ખાન હજુ પણ ફરાર છે. નિદા ખાને મોહમ્મદ નવીદ ઈકબાલ ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમના પતિ મુંબઈ સ્થિત અમેજન વેબ સર્વિસ (AWS) માં કામ કરે છે. નિદા ખાન પણ મુંબઈ આવી ગઈ હતી. પોલીસ તેના પતિની ધરપકડ કરી લીહી હતી. પતિએ જણાવ્યુ કે 14 એપ્રિલના રોજ તેમની માસી નૂરી શેખ તેને નાસિક લઈ ગઈ હતી.  
 
શુક્રવારે SIT મુમ્બ્રા પહોંચી, જ્યાં નિદા અને તેનો પરિવાર રહેતો હતો, પરંતુ તે ત્યાં મળી ન હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે એક મહિલા તેને લઈ ગઈ હતી. તેના પતિએ કહ્યું કે તેને ખબર નથી કે નિદા ક્યાં છે.
 
નિદા ખાન પર અનેક આરોપો છે. 26 માર્ચે નાસિકમાં છેતરપિંડી દ્વારા જાતીય હુમલો અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવીને FIR દાખલ કરવામાં આવી હતી. પીડિતાનો આરોપ છે કે દાનિશ શેખે જુલાઈ 2022 થી લગ્નના ખોટા વચનો આપીને તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા. નિદા ખાન દાનિશ શેખની બહેન છે અને તેના પર સમગ્ર મામલામાં સંડોવણીનો આરોપ છે.
 
પીડિતાનો દાવો છે કે નિદા ખાન અને કેટલાક અન્ય લોકોએ તેના હિન્દુ ધર્મ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અને તેના પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. નિવેદનમાં એવો પણ આરોપ છે કે નિદા ખાન અને તૌસિફ અત્તરે જાણી જોઈને એ હકીકત છુપાવી હતી કે દાનિશ શેખ પહેલાથી જ પરિણીત હતો..