રવિવાર, 8 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ચંડીગઢ , સોમવાર, 8 ડિસેમ્બર 2025 (23:21 IST)

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

navjot kaur
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધુને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે ડૉ. સિદ્ધુ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનો બાદ આ કાર્યવાહી કરી હતી.

 
શું હતું નવજોત કૌર સિદ્ધુ નું નિવેદન ? 
 પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુના પત્ની નવજોત કૌર સિદ્ધુએ શનિવારે કહ્યું હતું કે જે કોઈ ₹500 કરોડની 'સુટકેસ' આપે છે તે મુખ્યમંત્રી બને છે. શનિવારે પત્રકારો સાથે વાત કરતા નવજોત કૌરે કહ્યું કે જો કોંગ્રેસ તેમને પંજાબમાં પાર્ટીનો મુખ્યમંત્રી ચહેરો જાહેર કરે છે, તો તેમના પતિ સક્રિય રાજકારણમાં પાછા ફરશે.
 
પંજાબમાં 2027માં ચૂંટણી થવાની છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની પાસે કોઈ પણ પક્ષને આપવા માટે પૈસા નથી, પરંતુ તેઓ પંજાબને "સુવર્ણ રાજ્ય" બનાવી શકે છે. રાજ્યમાં કથિત રીતે બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સહિત અનેક મુદ્દાઓ પર  રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા સાથે મુલાકાત કર્યા બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું."આપણે હંમેશા પંજાબ અને પંજાબીયત વિશે વાત કરીએ છીએ, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા માટે અમારી પાસે 500 કરોડ રૂપિયા આપવા માટે નથી," 
 
"...તે મુખ્યમંત્રી બને છે."
કોઈની પાસેથી પૈસા માંગવાના સાલ પર  તેમણે કહ્યું કે કોઈએ પૈસા માંગ્યા નથી, પરંતુ જે કોઈ 500 કરોડ રૂપિયાની 'સુટકેસ' આપે છે તે મુખ્યમંત્રી બને છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ તેમના નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપતા દાવો કર્યો હતો કે તેનાથી કોંગ્રેસની કામગીરીનું "કાળું સત્ય" ઉજાગર થયું છે.