સંબંધિત સમાચાર
- અનંત અંબાણીની યાત્રા આજે પૂર્ણ થશે
- Ayodhya Ram Mandir- આજે રામ નવમી પર બપોરે 12 વાગ્યે અયોધ્યા રામ મંદિરથી લાઈવ જુઓ, રામલલાનું સૂર્ય તિલક
- ગુજરાતના 8 જિલ્લામાં ગરમીનો કહેર, યલો અને ઓરેન્જ એલર્ટની ચેતવણી જારી, જાણો ક્યારે મળશે રાહત?
- ચક્રવાતી પવન 50ની ઝડપે ફૂંકાશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવામાનને બગાડશે, વરસાદને લઈને IMDનું એલર્ટ
- દેશમાં લાગુ થયો નવો વકફ કાયદો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી
PM Modi Visit Ramanathaswamy Temple- રામનવમી પર અયોધ્યા નહીં, PM મોદી કરશે આ મંદિરમાં પૂજા, ભગવાન રામ સાથે છે ખાસ સંબંધ
PM Modi Visit Ramanathaswamy Temple વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાની ત્રણ દિવસીય મુલાકાતેથી આજે પરત ફરી રહ્યા છે. શ્રીલંકાથી પરત ફર્યા બાદ તે તમિલનાડુ પહોંચશે. અહીં તેઓ રામ નવમીના અવસર પર ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેઓ પ્રતિષ્ઠિત રામનાથસ્વામી મંદિરમાં પણ પ્રાર્થના કરશે. પીએમ તમિલનાડુમાં રૂ. 8,300 કરોડથી વધુના ખર્ચના મોટા પ્રોજેક્ટ્સની શ્રેણી શરૂ કરશે.
તમને જણાવી દઈએ કે વડાપ્રધાન આજે બપોરે 12.45 કલાકે રામનાથસ્વામી મંદિર પહોંચશે. અહીં તેઓ દર્શન અને પૂજા કરશે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ચાર ધામ તીર્થસ્થાનોમાં સામેલ છે. આ મંદિર રામાયણ સાથે પણ સંકળાયેલું છે, કારણ કે અહીં ભગવાન રામે રાવણને માર્યા બાદ બ્રહ્માહત્યના પાપમાંથી મુક્તિ અપાવવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી. પીએમ મોદીએ 20 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલા આ મંદિરમાં પૂજા કરી હતી.
