સંબંધિત સમાચાર
- Year Ender 2023: આ વર્ષની સૌથી દર્દનાક દુર્ઘટના, જ્યારબાદ લોકો ટ્રેનમાં મુસાફરી કરતા ગભરાતા હતા
- Mehsana Train Accident - ટ્રેન મુસાફરીમાં લાલબત્તી સમાન કિસ્સો
- પ્રયાગરાજ જંકશન પર સુહેલદેવ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
- તમિલનાડુમાં બાળકો પાટા પાસે રમતા હતા, અચાનક 'મોતની ટ્રેન' તેજ ગતિએ આવી
- Bihar Train Accident: નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના છ બોગી પાટા પરથી ઉતરી; બક્સર પાસે અકસ્માત, પાંચના મોત, 52 ઘાયલ
Train Accident- અજમેરમાં સાબરમતી એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર
Train accident- અકસ્માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માત રાત્રે લગભગ 1:10 વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો જ્યારે ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી.
રાજસ્થાનના અજમેરમાં ટ્રેન અને માલગાડી વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ અફરા-તફરી મચી ગઈ હતી. અજમેરના મદાર રેલવે સ્ટેશન પાસે સાબરમતી-આગ્રા કેન્ટ સુપરફાસ્ટ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે આ અથડામણ થઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે સાબરમતી આગ્રા કેન્ટ સુપર ફાસ્ટ એક્સપ્રેસના એન્જિન સહિત 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માત રાત્રે લગભગ 1:10 વાગ્યે મદાર સ્ટેશન નજીક બન્યો હતો જ્યારે ગુડ્સ ટ્રેન અને એક્સપ્રેસ ટ્રેન એક જ ટ્રેક પર આવી હતી.
આ પછી ટ્રેનના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવી હતી પરંતુ સાબરમતી એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી.અકસ્માત સમયે ટ્રેનમાં હજારો મુસાફરો હાજર હતા. પાટા પરથી ઉતર્યા બાદ ટ્રેન પાટાથી ઘણી દૂર પહોંચી ગઈ હતી અને ઈલેક્ટ્રીક લાઈનના પોલને પણ સંપૂર્ણ નુકસાન થયું હતું. દુર્ઘટનાના લાંબા સમય બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
4 coaches along with the engine derailed as a goods train collided with the 12548 Sabarmati-Agra Cantt passenger train at Rajasthans Madar, near #Ajmer. #TrainAccident pic.twitter.com/7USZ8hoBtG
— Pranav Pratap Singh (@PranavMatraaPPS) March 18, 2024
આ અકસ્માત મોડી રાત્રે થયો હતો
ઘટના પછી જ્યારે મુસાફરો સાથે વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે ટ્રેન અજમેર રેલવે સ્ટેશનથી લગભગ 12:55 વાગ્યે નીકળી હતી અને થોડા કિલોમીટરની મુસાફરી કર્યા પછી અકસ્માત થયો હતો. અકસ્માત સમયે ટ્રેનમાં બેઠેલા લોકોને જોરદાર આંચકો લાગ્યો હતો અને સીટ પર સૂઈ રહેલા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સીટ પરથી નીચે પડી ગયા હતા. દુર્ઘટના બાદ મુસાફરોએ પણ રેલવે અધિકારીઓના સ્થળ પર મોડા આવવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
