UP : શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને તેમના શિષ્ય વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધવાનો આદેશ
અલ્હાબાદ જિલ્લા કોર્ટની પોક્સો એક્ટ કોર્ટે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય, દાંડી સ્વામી પ્રતિક ચૈતન્ય મુકુન્દાનંદ ગિરી વિરુદ્ધ બાળકોના જાતીય શોષણના સંદર્ભમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. શાકુંભારી પીઠીધીશ્વર આશુતોષ બ્રહ્મચારી દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતી વખતે વિશેષ કોર્ટે આ આદેશ આપ્યો.
સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ વિનોદ કુમાર ચૌરસિયાએ બાળકોના યૌન શોષણના આરોપમાં જગદગુરુ જ્યોતિષ પીઠાધીશ્વર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ ઝુંસી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને તેમના શિષ્ય દાંડી સ્વામી પ્રત્યક્તા ચૈતન્ય મુકુન્દાનંદ ગિરી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો.