સોનમે સુહાગરાત માટે રાજા રઘુવંશી સામે રાખી હતી આ શરત
મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યા કેસમાં મેઘાલય પોલીસ તેમની પત્ની સોનમ સાથે શિલોંગ પહોંચી ગઈ છે. ઇન્દોરથી એક પોલીસ ટીમ પણ રાજ કુશવાહાના ચાર સાથીઓ સાથે શિલોંગ જવા રવાના થઈ ગઈ છે. હવે પોલીસ બધા આરોપીઓની સાથે મળીને પૂછપરછ કરશે.
લગ્ન પછી સોનમે રાજાથી દૂરી બનાવી લીધી હતી. લગ્ન પછી પણ બંને વચ્ચે કોઈ સંબંધ નહોતો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સોનમે રાજાને કહ્યું હતું કે તેણીએ કામાખ્યા દેવીના દર્શન ન થાય ત્યાં સુધી તેનાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પછી, સોનમ તેના મામાના ઘરે ગઈ અને અહીં જ તેણે રાજાને મારી નાખવાની યોજના બનાવી. તેણે ગુવાહાટી માટે ટિકિટ બુક કરાવી હતી. પૂછપરછ દરમિયાન, રાજ સાથેના ત્રણ કોન્ટ્રાક્ટ કિલર્સે જણાવ્યું કે સોનમ 22 મેના રોજ શિલોંગ પહોંચી હતી. 23 મેના રોજ એક નિર્જન વિસ્તારમાં રાજાની હત્યા કરવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનમ એટલી ચાલાક હતી કે લગ્ન પછી તેણે રાજા સાથે એક પણ વાર શારીરિક સંબંધ બાંધ્યો નહીં. સુહાગરાત ન ઉજવવાનું કારણ એવું હતું કે રાજા ઇચ્છે તો પણ ના પાડી શકતો ન હતો... જ્યારે રાજા પહેલી રાત્રે સોનમની નજીક આવ્યો ત્યારે તેણે કહ્યું- મેં પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી હું કામાખ્યા મંદિરમાં નહીં જાઉં ત્યાં સુધી આપણે પતિ-પત્ની જેવા શારીરિક સંબંધો નહીં રાખીએ. અમે હનીમૂન પર જઈ રહ્યા છે ત્યાં જ આ સરપ્રાઈઝ ઓપન કરીશ...