સંબંધિત સમાચાર
- યુપીના અયોધ્યામાં ભયાનક માર્ગ અકસ્માત, 3 વાહનો વચ્ચે અથડાતા 3 લોકોના કરૂણ મોત, 15 ઘાયલ
- દેહરાદૂનમાં મોટો માર્ગ અકસ્માત, ટ્રક-ઇનોવા અથડામણમાં પાંચ વિદ્યાર્થીઓના મોત
- અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયો અકસ્માત
- યુપીમાં ભયાનક માર્ગ અકસ્માત, અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટેન્કર સાથે અથડાઈ, 3ના મોત, 5 ઘાયલ
- અયોધ્યાઃ ઓવરટેક કરતી વખતે કાર ડિવાઈડર સાથે અથડાઈ, પછી ટ્રકે કચડી… વિધાનસભાના વિશેષ સચિવનું અકસ્માતમાં મોત
UP accident news- યમુના એક્સપ્રેસ વે પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ, 5ના મોત, બારીઓ તોડીને લોકો બહાર આવ્યા
યુપી અલીગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે 15 લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, યમુના એક્સપ્રેસ વે પર મુસાફરોને લઈ જતી બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક સાથે અથડાતા બસના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં એક પાંચ મહિનાનું બાળક, એક મહિલા અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે.
રસ્તા પર પડેલા ઇજાગ્રસ્ત બાળકો અને મહિલાઓ
ટપ્પલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર શિશુપાલ શર્માએ જણાવ્યું કે, આ દુર્ઘટના યમુના એક્સપ્રેસ વે પર ટપ્પલ પાસે રાત્રે લગભગ 1 વાગ્યે થઈ હતી. બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી, જ્યારે ટ્રક દિલ્હીથી આગ્રા જઈ રહી હતી. આ દરમિયાન બસની સ્પીડ વધુ હોવાને કારણે તે કાબૂ બહાર નીકળી ગઈ હતી અને બીયરની ખાલી બોટલો ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ કંડક્ટરની બાજુથી સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી.
