સંબંધિત સમાચાર
- કુવૈતમાં આગને કારણે એક ભારતીય પરિવારના ચાર લોકોનું મોત
- પોરબંદરમાં અતિભારે વરસાદમાં 40થી વધારે લોકોને બચાવાયા, 600થી વધારે આશ્રયસ્થાનમાં
- નેમપ્લેટ લગાવવાના વિવાદ, યુપીમાં રાજકારણ ગરમાયું
- Microsoft Outages : માઈક્રોસોફ્ટનું સર્વર 15 કલાક અટક્યું, 73000 કરોડનું નુકસાન
- કેદારનાથ પદયાત્રી માર્ગ પર દુ:ખદ અકસ્માત, કાટમાળ નીચે અનેક મુસાફરો દટાયા, રાહત કાર્ય ચાલુ
બાંગ્લાદેશમાં કરફ્યૂ છતાં હિંસા, 10 લોકોનાં મૃત્યુ
બાંગ્લાદેશમાં ચાલી રહેલા અનામતવિરોધી આંદોલનમાં હિંસા અટકવાના કોઈ સંકેત નથી.
કરફ્યૂ છતાં બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં થયેલ હિંસક સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. આ દરમિયાન ઓછામાં ઓછા 91 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં બે પોલીસકર્મી પણ સામેલ છે.
ઢાકાના જાત્રાબાળીના રાએર બાગ વિસ્તારમાં આઠ લોકોનાં મોત થયાં જ્યારે મીરપુર અને આઝિમપુરમાં બે લોકોનાં મોત થયાં હતાં.
બીબીસી સંવાદદાતાઓએ શનિવારે બપોરે ઢાકાના બડ્ડા અને સૈયદાબાદ વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જોયું હતું.
ગત મંગળવારે શરૂ થયેલી હિંસાને કારણે દેશમાં ઓછામાં ઓછા 110 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સરકારે શુક્રવારે અડધી રાતે કરફ્યૂનું એલાન કરાયું હતું. આ સાથે જે દેશમાં સેનાને તૈનાત કરવામા આવી હતી. રવિવારે કરફ્યૂનો અમલ વધારે સખત બનાવાયો હતો.
