શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 માર્ચ 2021 (17:26 IST)

અમદાવાદ શહેરની સુંદરતાને લાગશે ચાર ચાંદ, નગરજનોને કાયમી ધોરણે મળશે આ સુવિધા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ ચાર તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ અમદાવાદ મહાપાલિકાને જે ચાર તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે. 
 
તેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના ચેનપુરના સર્વે નં. ૧૩૪ની ટી.પી. ૬૬, એફ.પી. ૨૦૮, ૨૧૩, ૨૨૩, ૨૨૪ પર આવેલ ૧૪,૬૯૪ ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ, અસારવાના મુઠીયા ગામના બ્લોક નં. ૦૧માં આવેલ ૪૧,૨૭૮ ચો.મી.નું તળાવ, અસારવાના નરોડાના સર્વે નં. ૪૯૩/અ ટી.પી. ૧, એફ.પી. ૪પ૯ માં આવેલ ૧,૩૧,૦૮૭ ચો.મી.નું ગામ તળાવ અને વટવાના વિંઝોલ ખાતે સર્વે નં.૩૬૩ ટી.પી. ૯૦, એફ.પી. ૮માં આવેલ ૮૧,૨૪૧ ચો.મી.નું તળાવના વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવવા સૂચના આપી છે.
 
મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે. મુખ્યમંત્રીએ મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો જે અભિગમ અપનાવવા આહવાન કરેલું છે  આ તળાવોમાં આવું રિસાયકલ્ડ વોટર ભરીને મહાપાલિકા મુખ્યમંત્રીના આહવાન ને સાકાર કરી શકશે.
 
એટલું જ નહિ, અમદાવાદ મહાનગરનું સ્યુએજ વોટર-વપરાયેલું ગંદુ પાણી એસ.ટી.પી દ્વારા શુદ્ધ કરીને આ તળાવોમાં નાખવામાં આવતાં આ તળાવો બારેય માસ ભરેલા રહેશે તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે. આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે.
 
મુખ્યમંત્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો, જૂન અને જુલાઇ મહિનામાં ૧-૧ તળાવ અને ઓગસ્ટમાં પાંચ એમ કુલ ૧૧ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે. હવે આ વધુ ૦૪ તળાવો પણ અમદાવાદ મહાનગર પાલિકાને સોંપવાના નિર્ણય સાથે કુલ ૧૫ તળાવોના બ્યૂટિફિકેશન અને વિકાસથી અમદાવાદ શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગશે.
 
રાજ્ય સરકારે અગાઉ જે ૧૧ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે તેમાં વેજલપુર તાલુકાના સર્વે નં. ૭૮૩ પરનું ૩૨૦૭૨ ચો.મી. ક્ષેત્રફળનું તળાવ, વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ, ગોતામાં સર્વે નંબર ૧ પરનું ગામ તળાવ, શીલજમાં બ્લોક નં.૮૬ પરનું સરકારી તળાવ, ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. ૧ માં આવેલા ૩૭૧૯૪ ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ, અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના આંબલીના સર્વે નં.૦૪ ટી.પી. પર, એફ.પી. ૬ માં આવેલ ૨૧૨૬૫ ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ, ઓગણજના સર્વે નં.૦૮, ટી.પી. રર૮, એફ.પી.૮ માં આવેલ ૫૫૩૯૧ ચો.મી.નું ગામ તળાવ, ઓગણજ સર્વે નં. ૭ર૦, ટી.પી. રર૧, એફ.પી. ૧પ માં આવેલ ૨૨૯૬૬ ચો.મી.નું ગામ તળાવ, સોલા સર્વે નં.૮૩૦ ટી.પી. રર૧, એફ.પી. ૯૩૮માં આવેલ ૧પ૭૮૩ ચો.મી.નું ગામ તળાવ અને હેબતપુર બ્લોક નં.૧૧ ટી.પી. ર૧૭, એફ.પી. ૧૧માં આવેલ ૩૪૭૦ર ચો.મી.નું ગામ તળાવનો સમાવેશ થાય છે.