સંબંધિત સમાચાર
- Night curfew- આવતીકાલથી અમદાવાદ-વડોદરામાં જ નાઇટ કર્ફ્યૂ, ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ
- Bird Flu: મહારાષ્ટ્રના થાણેમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, વહીવટીતંત્ર એલર્ટ મોડમાં, ચેપ અટકાવવા હજારો મરઘીઓને મારવાના આદેશ
- ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાનું પેપર યુ ટ્યુબ પર લીક થયું, સંપૂર્ણ પેપર સોલ્વ કરતાં વીડિયો અપલોડ થયાં
- મહેસાણાના કુકસ ગામે ગ્રામજનોએ પાકિસ્તાનના હિન્દુ શરણાર્થીની દીકરીના લગ્ન કરાવી વિદાય આપી
- પોરબંદરમાં વેપારીના પુત્રએ ભણતરના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
pawagadh- પાવાગઢઃ ખોદકામ દરમિયાન મળ્યા દારૂગોળા
યાત્રાધામ પાવાગઢમાંથી પુરાતન કાળના ગોળા મળી આવ્યા છે. પાવાગઢથી યુદ્વની તોપમાં વપરાતા ગોળાનો જથ્થો મળી આવ્યો છે. પાવાગઢમાં જ્યારે એક જૂની ધર્મશાળાને તોડવામાં આવી રહી હતી તે દરમિયાન મોટા પ્રમાણમાં લોંખડના ગોળા મળી આવ્યા છે.
ગુજરાતમાં ઇ.સ. 1458-1511માં મહમદ બેગડાનો આતંક હતો. માત્ર 13 વર્ષની વયે સુલતાન બનનારો મહમૂદ બેગડાના મનમાં અજેય અને ચક્રવતી બનવાનું ભૂત સવાર હતું. ઈતિહાસ નોંધે છે કે, તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે 'બેગઢો' કહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ 'બેગડો' પ્રચલિત બન્યું. પાવાગઢ -ચાંપાનેરમાં ક્ષત્રીય વંશજોનો લાંબો-બહોળો ઈતિહાસ છે.
