ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ઑક્ટોબર 2018 (16:45 IST)

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ધમાલ, 500 કાર્યકર્તાઓ રાજીનામું આપી શકે છે

અમદાવાદ કોંગ્રેસના 500 કાર્યકર્તાઓ આજે એકસાથે રાજીનામું આપવા જઈ રહ્યાં છે. ચાંદખેડાના કોંગી નેતાઓ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ થતા રોષે ભરાયા છે. આજે બપોરે 2 વાગ્યા બાદ પાલડી પાસે રાજીવગાંધી ભવનમાં મોટી સંખ્યામાં નારાજ કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તમામ કાર્યકર્તાઓ રાજીનામું આપીને ખેસ પણ ઉતારશે.મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસ સંગઠનમાં પોતાની બાદબાકીથી નારાજ કોંગી નેતાઓ ચાંદખેડાથી રેલી કાઢશે. આ રેલી ચાંદખેડાથી નીકળી બપોરે 2 વાગ્યે કોંગ્રેસના કાર્યલય( રાજીવ ગાંધી ભવન) પહોંચશે. આ રેલીમાં જોડાયેલા કોંગી નેતાઓ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીનામું આપશે તેમજ પહેરેલું ખેસ પણ ઉતારશે. ખેસ ઉતારવાની આ સૌ પ્રથમ ઘટના બનશે.સુત્રોના આધારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ-કોંગ્રેસમાં પૂર્વતૈયારીઓ શરૂ થઈ ચુકી છે. પરંતું કોંગ્રેસના 500 કાર્યકર્તાઓના એકસાથે રાજીનામાંથી કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે તેમ છે.