1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. gujarat news

બોટ અને ડેકના ઠેકાણા નથીને ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન થશે

રો-રો ફેરી
ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ સરકાર  મતદારોને આકાર્ષવા માટે અનેક જાહેરાતો કરી રહી છે. વડાપ્રધાન મોદી આગામી 17 ઓક્ટોબરે ભાવનાગર-ઘોઘા વચ્ચે ઉતાવળે રો-રો ફેરીનું ઉદ્ઘાટન કરશે. તેટલું જ નહીં તેઓ એક પેસેન્જર બોટમાં બેસીને ઘોઘાથી દહેજ સુધીનો પ્રવાસ પણ ખેડશે. તેમજ ભાવનગર અને ભરુચ ખાતે તેઓ એક લાખથી વધુ લોકોની મેદનીને સંબોધીત કરશે. ભાજપને આ યોજનાથી સૌરાષ્ટ્રના ભાવનગર અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં લાભ મળશે તેવી આશા છે.જોકે મહત્વની વાત તો એ છે કે કેટલાક ટેક્નિકલ પાસાઓના કારણે, ઘાઘા સાઇટ પર કામ પૂર્ણ થયું ન હોવાથી અને રો-રો ફેરી માટે જરુરી બોટ હજુ સુધી ઉપલબ્ધ ન થઈ હોવા છતા અધૂરા કામ વચ્ચે પણ ચૂંટણીલક્ષી આ યોજાનાનું ઉદ્ઘાટન કરી દેવામાં આવશે. આ માટે બે પેસેન્જર બોટને હાલના તબક્કે ઉપયોગ કરવામાં આવશે. જે સપ્તાહના અંત પહેલા ઘોઘા ખાતે પહોંચી જશે.
આગળનો લેખ
ગુજરાત ગૌરવયાત્રામાં યોગી આદિત્યનાથ - અમેઠીના વિકાસને લઈ રાહુલ ગાંધી પર પ્રહારો