સંબંધિત સમાચાર
- વ્હાઈટ ડ્રેસમાં સની લિયોનીએ ચલાવ્યો હુસ્નનો જાદુ, સેક્સી અદાઓ જોઈને ફેંસ થયા ઘાયલ
- પોલીસ કર્મચારીઓ અને અધિકારીની રજાઓ પરથી પ્રતિબંધ હટાવી લેવાયો
- ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલનું નિવેદનઃ રોગચાળો નિમિત્ત માત્ર છે બાકી જીવન મરણ કુદરતના હાથમાં
- યુનિક અને ડાયનેમિક QR કોડથી પેમેન્ટ સ્વીકારનાર જામનગર કોર્પોરેશન દેશમાં પ્રથમ
- માત્ર 11000 રૂપિયામાં બુક કરાવી શકો છો Maruti MPV XL 6, કિમંત 9.79 લાખ રૂપિયા
ગુજરાતના ઘેટા-ઉન નિગમને બે વર્ષથી ધંધો નહીં મળતાં હાલત કફોડી
અલગ કેન્દ્ર શાસીત પ્રદેશ બનતા હવે લદાખ પણ ફકત ટુરીઝમ નહી પરંતુ વ્યાપાર-ઉદ્યોગની દ્રષ્ટીએ પણ ચર્ચામાં આવી ગયું છે અને અહી સૌથી મહત્વનો ઉનનો વ્યાપારને નવી આશા છે. ગુજરાતમાં શીવ એન્ડ યુલ ડેવલપમેન્ટ- કોર્પોરેશન છે તે છેલ્લે આ નિગમના વડા તરીકે જાણીતા આઈપીએસ અધિકારી કુલદીપ શર્માની નિયુક્તિ તે સમયની ગુજરાતની મોદી સરકારે કરી હતી તે બાદ આ નિગમમાં કોઈ કર્મચારી છે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે અને છેલ્લા બે વર્ષથી નિગમે તેની ખરીદી પણ બંધ કરી છે. જેના કારણે ગુજરાતના પશુપાલકો માટે એક સમય આજીવીકાનું કેન્દ્ર ગણાતા ઉનના વેચાણને પણ લગભગ બ્રેક લાગી છે અને ઘેટાનો ઉછેર પણ ઘટવા લાગ્યા છે. ઉનનું સ્થાન સિન્થેટીક ઉને લીધું છે અને તે પણ ચાઈનીઝ માલ વેચાય છે. હાલ આ નિગમના ચેરમેન તરીકે ભવાન ભરવાડ છે. ઉનનું સૌથી મોટુ માર્કેટ બીકાનેર છે પણ તે બજાર હવે ખરીદીના અભાવે તૂટવા લાગી છે અને હવે ગુજરાતમાં રૂા.2ના કિલોના ભાવે પણ ઉન વેચાતું નથી.
