સંબંધિત સમાચાર
- મોંઘવારીઃ ઝાલાવાડી ચુડા અને વઢવાણી મરચાંના ભાવમાં વધારો
- ભાવવધારાને કારણે પ્રસંગમાં અપાતી સોનાની ગિફ્ટનું ચલણ અને બજેટ બન્ને ઘટ્યા
- Donald Trumph Food Menu- ટ્રમ્પ સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં ડીનર કરશે, અમેરિકન મહેમાનો આ વિશેષ વાનગીઓનો સ્વાદ લેશે
- Donald Trumph in India: રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત પછી રાજઘાટ માટે રવાના થયા ટ્રમ્પ
- Taj Mahal & Donald- ડોનાલ્ડ ટ્રંપ એ કહ્યુ Wow Taj ખૂબજ સુંદર છે તાજમહલ
ઇડર ગઢની તળેટીમાં ખોદકામ દરમિયાન જૈન મૂર્તિઓના અવશેષ મળ્યા
ઇડર ગઢની તળેટીમાં આવેલ સંભવનાથજી દિગંબર જૈન દેરાસરની બાજુમાં આવેલ ખાલી જગ્યા પર સંત ભવનના નિર્માણ માટે ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન જમીનમાંથી પુરાતનકાળની જૈન મૂર્તિઓ અને પુરાતન અવશેષો મળી આવ્યા હતા.તે દરમિયાન લોકોના ટોળેટોળા જોવા માટે અહીં ઉમટી પડ્યા હતા અને મનાઈ રહ્યું છેકે જે પુરાતન વખતની મળી આવેલ મૂર્તિઓ અને અવશેષો જૈન ભગવાનના પાછળના પરિકરનો ભાગ હોય તેમ જણાઈ રહ્યું છે અને મળી આવેલ અવશેષો અને મૂર્તિઓ 1500 વર્ષ જુના હોવાનું મનાઈ રહ્યું છે જૈન સમાજમાં આંનદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
