શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 મે 2019 (11:58 IST)

jioએ જોડ્યા 94 લાખ ગ્રાહક, airtel, Vodafone-Idea એ ગુમાવ્યા 3 કરોડ

નવી દિલ્હી- વોડાફોન આઈડિયા અને ભારતી એયરટેલએ માર્ચમાં સંયુક્ત રૂપથી આશરે 3 કરોડ ગ્રાહક ગુમાવ્યા છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ) ના આંકડામા મુજબ મહીનાના સમયે વોડાફોન આઈડિયાએ ગ્રાહકોની સંખ્યા 1.45 કરોડ ઓછી થઈ છે. જ્યારે ભારતી એયરટેલ 1.51 કરોડ 
 
કનેક્શન ઓછા થયા છે. તેમજ રિલાંયસ જિયો (JIO) એ 94 લાખ ગ્રાહક જોડ્યા. 
 
આંકડો મુજબ 31 માર્ચ 2019 સુધી દેશમાં કુળ મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 116.18 કરોડ હતી જે તેનાથી પાછલા મહીના કરતા 2.18 કરોડ ઓછી 
 
છે. દેશમાં કુળ ફોન ઘનત્વ ઘટીને 90.11 પર આવી ગયું જે ફેબ્રુઆરીમાં 91.86 હતું. ટ્રાઈના મુજબ માર્ચ 2019ના અંટ સુધી ભારતી 
 
એયરાટેલના મોબાઈલ કનેક્શનની સંખ્યા  39.48 કરોડ હતી. 
 
માર્ચ અંત સુધી ભારતી એયરટેલના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 32.51 કરોડ રહી જ્યારે તેમની પ્રતિદ્વંદ્દી રિલાંયસ જિયોના ગ્રાહકોની સંખ્યા 30.67 કરોડ હતી. 
 
ટ્રાઈ મુજબ માર્ચમાં કુળ મોબાઈક ગ્રાહકોની સંખ્યા 116.18 કરોડ આવી ગઈ જે ફેબ્રુઆરી અંત સુધી 118.36 કરોડ હતી.