1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. lockdown fake news

રાજ્યમાં લોકડાઉનની વાત માત્ર અફવા, સોશિયલમ મીડયા વાયરલ મેસેજનું કર્યું ખંડન

લોકડાઉનની વાત માત્ર અફવા
રાજ્યમાં લોક ડાઉન ફરીથી થવાનું છે તેવા જે  સમાચારો અને વાતો સોશીયલ મિડિયામાં  ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે આવી કોઈ જ બાબત હાલ રાજ્ય સરકાર ની વિચારણા માં નથી
 
તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યના જે ચાર શહેરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરત માં રાત્રીના 9 થી સવારના 6  વાગ્યા સુધી જે કરફયૂ અમલમાં છે તે યથાવત રહેશે. આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોક ડાઉન કે કરફ્યુ ની બાબત પણ રાજ્ય સરકાર ની કોઈ વિચારણા માં નથી.
 
અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે સૌ નાગરિકોને  સોશીયલ મીડિયામાં ચાલતા આ સમાચારથી  ગેરમાર્ગે નહિ  દોરાવાની તેમજ આવા પાયા વિનાના સમાચારો અંગે કોઈ ગભરાટ  પણ ના  રાખવાની  અપીલ કરી છે.
આગળનો લેખ
PM મોદીએ કોરોના સંક્રમણ નિયંત્રણ –સારવાર સુવિધા અંગે ૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજી વિડીયો કોન્ફરન્સ