સંબંધિત સમાચાર
- PM મોદી 28 ફેબ્રુઆરીએ કરશે ગુજરાતની મુલાકાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિત વિવિધ મુદ્દાઓની કરશે સમીક્ષા
- પાલનપુર ગર્લ્સ હોસ્ટલમાં 38 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ
- સોમનાથથી PM મોદી શરૂ કરશે પોતાનો પ્રવાસ, મહાત્મા મંદિરમાં જર્મન ચાંસલરની થશે ચર્ચા, જાણો સંપૂર્ણ શેડ્યુલ
- મુખ્યમંત્રીને ગુલાબી પિક્ચર બતાવે છે અધિકારી, PM મોદી ની ગુજરાત મુલાકાત પહેલા BJP નાં પાંચ MLA નો લેટર બોમ્બ
- શૌર્ય, શ્રદ્ધા, રાજદ્વારી... સોમનાથથી ગાંધીનગર, ગુજરાત મુલાકાત માટે પીએમ મોદીની શું યોજનાઓ છે?
સ્થાનિક ચૂંટણી પૂર્વે PM મોદીનો બનાસકાંઠા પ્રવાસ: લાખણીના નાણી ગામે વિકાસકાર્યોની લાગશે હેલી
modi visit Lakhani Nani Village
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામે એક વિશેષ મુલાકાતે પધારવાના છે. આ પ્રવાસને લઈને જિલ્લા અને રાજ્ય સ્તરે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને ભવ્ય તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, જે વિસ્તારના રાજકીય અને સામાજિક સમીકરણો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિકાસકાર્યોનું લોકાર્પણ અને જાહેર સંબોધન
વડાપ્રધાનના આ કાર્યક્રમ દરમિયાન નાણી ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ ખાસ કરીને સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ PM મોદી એક વિશાળ જનમેદનીને સંબોધિત કરશે, જેમાં તેઓ સરકારની ભવિષ્યની યોજનાઓ અને વિસ્તારના વિકાસ માટેના વિઝન અંગે માર્ગદર્શન પૂરું પાડશે.
ગુજરાત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ નજીક આવી રહી છે!
— Pravinbhai Gordhanji Mali (@pravinmalibjp) March 26, 2026
આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને સૌના માર્ગદર્શક આદરણીય શ્રી @narendramodi જી ટૂંક સમયમાં બનાસકાંઠાના ડીસા એરફોર્સ સ્ટેશન ખાતે પધારી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન આદરણીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે રાજ્યને અનેક નવા… pic.twitter.com/CBwtl4t5hO
મંત્રીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ અને સુરક્ષા સમીક્ષા
આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમની સફળતા માટે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી પ્રવીણ માળી સહિતના ઉચ્ચ આગેવાનોએ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે સભાસ્થળની સુરક્ષા વ્યવસ્થા, જનસુવિધા અને અન્ય કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં આવનાર લોકો માટે ઠંડા પીવાના પાણી, છાંયડા માટે ડોમ અને તાત્કાલિક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
પરિવહન વ્યવસ્થા અને જનમેદનીનું આયોજન
વડાપ્રધાનને સાંભળવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે, જેને જોતા તંત્ર દ્વારા પરિવહન વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. દૂર-દૂરથી આવનારા લોકો માટે વિશેષ એસ.ટી. બસો, વિશાળ પાર્કિંગ પ્લોટ અને ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ પ્લાન તૈયાર કરાયો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. સ્થાનિકો અને અધિકારીઓ માને છે કે આ મુલાકાતથી સરહદી વિસ્તારના વિકાસને નવી દિશા અને સ્થાનિકોને પ્રગતિની નવી તકો મળશે.

