સંબંધિત સમાચાર
- દલિત યુવાને ઘોડી ખરીદી, જાનથી મારી નાંખવાની ધમકી બાદ હત્યા કરાઈ
- હવે અશોક ગેહલોતના સ્થાને ગુજરાતના કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવની નિમણૂંક
- ભારતનો સારો મુસલમાન કેવો હોવો જોઈએ... જરૂરી નથી કે આ હિન્દુ નક્કી કરે...
- પેપર દિલ્હીમાં ફૂટી ગયું એની સજા ગુજરાતના બાળકોને કેમ- શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
- MOVIE REVIEW - એક્શનથી ભરપૂર છે બાગી-2, જોતા પહેલા જરૂર વાંચો ફિલ્મનો રિવ્યુ
પશુપાલકોની હાલત ખરાબ, રસ્તા પર દૂધ ઢોળીને કર્યો વિરોધ
દૂધની ડેરીમાં દૂધનું વેચાણ કરતાં માલધારીઓએ પોતાની વાત નહીં સંભાળાતા રસ્તા પર દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો. પશુપાલકોના વિરોધને પગલે રસ્તા પર દુધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકો જીલ્લાની સુરસાગર ડેરીમાં પોતાનું દૂધ વેચાણથી આપતા હોય છે પરંતુ દૂધ સાગર ડેરી ઓછો ભાવ ચુકવતી હોય જેથી માલધારી સંગઠનોએ આજે ભાવવધારાની માંગ સાથે વિરોધ કર્યો હતો અને વઢવાણ ડેરી સર્કલ પાસે માલધારીઓ એકત્ર થયા હતા અને રસ્તા પર દુધના કેન ખાલી કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
દુધના ભાવો અંગે આક્રોશ સાથે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જીલ્લામાં સુરસાગર ડેરી અને માહી ડેરી આવેલીલ છે જે હમેશા વિવાદોમાં જ રહે છે. દુધમાં ભેળસેળ અને ભ્રષ્ટાચારની અને પશુપાલકોને ઓછા ભાવો આપવાના વિવાદો જોવા મળતા હોય છે. વળી વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અહીંની બંને ડેરીમાં ૫.૩૦ રૂપિયાના ભાવ મળે છે જ્યારે બીજા જીલ્લામાં ૭ રૂ. ભાવ આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું જણાવીને ગુજરાત માલધારી વિકાસ સંગઠન સાથે સ્થાનીક દૂધ ઉત્પાદકોએ રોડ પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
દુધના ભાવો અંગે આક્રોશ સાથે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જીલ્લામાં સુરસાગર ડેરી અને માહી ડેરી આવેલીલ છે જે હમેશા વિવાદોમાં જ રહે છે. દુધમાં ભેળસેળ અને ભ્રષ્ટાચારની અને પશુપાલકોને ઓછા ભાવો આપવાના વિવાદો જોવા મળતા હોય છે. વળી વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અહીંની બંને ડેરીમાં ૫.૩૦ રૂપિયાના ભાવ મળે છે જ્યારે બીજા જીલ્લામાં ૭ રૂ. ભાવ આપવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના પશુપાલકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું જણાવીને ગુજરાત માલધારી વિકાસ સંગઠન સાથે સ્થાનીક દૂધ ઉત્પાદકોએ રોડ પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો અને ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
