Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાટીદાર આંદોલન બાદ રચાયેલા બોર્ડે સવર્ણો પાછળ કુલ ગ્રાન્ટના માત્ર પાંચ ટકા જ ખર્ચ કર્યો

બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (12:32 IST)
પાટીદાર આંદોલન બાદ ગુજરાત સરકારે બિન અનામત આયોગની રચના કરી સવર્ણોને મહત્તમ લાભ આપવાની જાહેરાત કરી હતી.પણ વિધાનસભામાં ખુદ સરકારે જ કબૂલાત કરી છેકે, ગુજરાત બિન અનામત આયોગમાં હજુય રૂા.૧૧૪૧૩ લાખ વણવપરાયેલા પડી રહ્યાં છે. સરકાર પાટીદાર સહિત સવર્ણ સમાજના લાભાર્થીઓને જાણે લાભ આપવામાં ય કંજુસાઇ કરી રહી છે.
વિધાનસભામાં ભાજપ સરકારે એવી વિગત આપી છેકે, રાજ્ય સરકારે ગુજરાત બિનઅનામત આયોગને વર્ષ ૨૦૧૭-૧૮માં રૂા.૧૦૦ લાખ જયારે વર્ષ ૨૦૧૯-૧૯માં રૂા.૧૧૮૦૦ લાખની ગ્રાન્ટ આપી હતી. બિન અનામત આયોગે વર્ષ ૨૦૧૭-૧૮માં તો સવર્ણો પાછળ ફુટી કોડી ય વાપરી નહી. વર્ષ ૨૦૧૮-૧૮માં રૂા.૪૮૬ લાખનો ખર્ચ કરી બિન અનામત વર્ગના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આમ, છેલ્લા બે વર્ષમાં કુલ ગ્રાન્ટના માત્ર પાંચ ટકા ખર્ચ કરવામાં આવ્યો હતો. આજેય ગુજરાત બિનઅનામત આયોગ પાસે રૂા.૧૧૩૧૩.૭૭ લાખ વણવપરાયેલી ગ્રાન્ટ પડી રહી છે. આમ,ઇબીસી અનામતનો જાશ ખાટવામાં આવી રહ્યો છે પણ લાભ આપવામાં સરકાર પીછેહટ કરી રહી છે.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કેમ કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો ? કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

ગુજરાતી રમૂજી જોક્સ

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

આગળનો લેખ
Show comments