સંબંધિત સમાચાર
- ભાજપનું મિશન ક્લીન: અમદાવાદના 12 વોર્ડમાં ઉતરશે નવયુવાન પેનલ, માત્ર સક્રિય હોદ્દેદારો જ થશે રિપીટ
- "જો બંગાળમાં ભાજપ સત્તામાં નહીં આવે, તો યુવાનોએ સ્થળાંતર કરવું પડશે," મજૂર દિલીપ ઘોષે એક બોલ્ડ દાવો કર્યો છે.
- એસ. જયશંકરની રેલીમાં તણાવ વધ્યો: નામ ન આપ્યા બાદ ભાજપના ઉમેદવાર સ્ટેજ પરથી ચાલ્યા ગયા
- ગાંધીનગરમાં ભાજપનું મંથન: ઉમેદવારો નક્કી કરવા બેઠકોનો દોર શરૂ
- ભાજપ સ્થાપના દિવસ: અમિત શાહે 'રાષ્ટ્ર પ્રથમ'નો મંત્ર આપ્યો
AAPમાં મોટું ગાબડું: ખેડૂત નેતા રાજુ કરપડા ભાજપમાં સામેલ, 200થી વધુ સમર્થકો સાથે કરશે શક્તિ પ્રદર્શન
raju karpada join BJP
ખેડૂત નેતા રાજુ કરપડા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તેઓ પોતાના સેંકડો સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કરશે. થોડા દિવસો પહેલા જ તેમણે આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યું હતું, ત્યારથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની હતી.
રાજુ કરપડાની આ એન્ટ્રી માત્ર પક્ષ પરિવર્તન નથી, પરંતુ એક મોટા શક્તિ પ્રદર્શન સમાન છે. તેમની સાથે 200થી વધુ સમર્થકો પણ ભાજપમાં જોડાવાના છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં પકડ મજબૂત કરવાના સંકેત આપે છે. ખાસ કરીને ખેડૂત વર્ગમાં કરપડાનો પ્રભાવ ભાજપ માટે આગામી સમયમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મુળી બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ બેઠક પર તેમની મજબૂત દાવેદારીને જોતા પક્ષ તેમને મોટી જવાબદારી સોંપી શકે છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે રાજકીય સમીકરણો પણ બદલાતા જોવા મળશે.
રાજ્યમાં ચૂંટણી પૂર્વે પક્ષાંતરનો દોર સતત વધી રહ્યો છે, જેમાં કરપડાનું ભાજપમાં જવું AAP માટે મોટો ઝટકો માનવામાં આવે છે. એક તરફ ભાજપ સ્થાનિક સ્તરે વધુ મજબૂત બની રહ્યો છે, તો બીજી તરફ વિરોધ પક્ષોના મજબૂત ચહેરાઓ પક્ષ છોડી રહ્યા છે. આ ઘટનાક્રમે સુરેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારોના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
