સંબંધિત સમાચાર
- IND vs ENG: Axar Patel એ સેમીફાઈનલમાં પકડ્યા બે મેજિકલ કેચ, ફેંસને આવી કપિલદેવની યાદ, VIDEO ઝડપથી થયો વાયરલ
- What A Catch! અક્ષર પટેલે પકડ્યો એક શાનદાર કેચ, જેણે પણ જોયો, બસ જોતા જ રહી ગયા - VIDEO
- Holi Special Train - સુરત-ઉધના રેલવે સ્ટેશને મુસાફરો માટે ખાસ સુવિધા, 6 થી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડશે
- ICC T20 WC 2026: પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટેનો માર્ગ નથી સહેલો, જાણો ન્યુઝીલેન્ડની હાર પછી તાજું સમીકરણ અને સીનેરીયો
- ટીમ ઈન્ડિયાએ ચકનાચૂર કર્યો ઈગ્લેંડનાં સિક્સરનો રેકોર્ડ, ન્યુઝીલેન્ડનાં વિરુદ્ધ સિરીઝમાં બનાવી દીધો રેકોર્ડ
IND vs NZ ફાઈનલનો જંગ: અમદાવાદમાં ક્રિકેટ ફીવર વચ્ચે રેલવેની ‘સ્પેશિયલ’ ભેટ, મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે ખાસ ટ્રેનો
ભારતમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં ક્રિકેટનો જબરજસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે. 5 માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક સેમિફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 7 રનથી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે આ મહા મુકાબલો 8 માર્ચ 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાનારી આ ઐતિહાસિક મેચને નિહાળવા માટે દેશ-વિદેશના ચાહકોમાં અનેરો ઉત્સાહ છે.
ક્રિકેટ ફેંસ માટે રેલવેની ખાસ ભેટ: મુંબઈ-અમદાવાદ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો
ફાઈનલ મેચને પગલે અમદાવાદમાં ઉમટી પડનારી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે વિશેષ તૈયારીઓ કરી છે. મુસાફરોનો ધસારો પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે ખાસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, ચાહકોની માંગણી અને ડીઆરએમ પંકજ સિંહ સાથેની ચર્ચા બાદ શનિવાર અને રવિવારે વધારાની ટ્રેનો દોડાવવાનું નક્કી કરાયું છે.
તેજસ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનનું શેડ્યૂલ
રેલવે દ્વારા જાહેર કરાયેલ ટ્રેન નં. 09027 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ સ્પેશિયલ 7 માર્ચ (શનિવાર) ના રોજ રાત્રે 11:45 વાગ્યે મુંબઈથી ઉપડશે અને બીજા દિવસે સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી ટ્રેન (09028) 9 માર્ચના રોજ સવારે 3:00 વાગ્યે અમદાવાદથી ઉપડી 11:15 વાગ્યે મુંબઈ પહોંચશે. આ પ્રીમિયમ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે, જેમાં ફર્સ્ટ એસી અને અન્ય એસી કોચની સુવિધા હશે.
વિસ્ટાડોમ અને આધુનિક કોચ સાથેની બીજી સ્પેશિયલ ટ્રેન
મુસાફરોને બહેતર અનુભવ આપવા માટે રેલવે ટ્રેન નં. 09021/09022 પણ ચલાવશે, જે 8 માર્ચના રોજ સવારે 6:20 વાગ્યે મુંબઈથી ઉપડી બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનમાં વિસ્ટાડોમ, એક્ઝિક્યુટિવ અનુભૂતિ અને એસી ચેર કાર જેવા આધુનિક કોચ જોડવામાં આવ્યા છે. મેચ પૂરી થયા બાદ આ ટ્રેન બપોરે 3:10 વાગ્યે અમદાવાદથી પરત ફરશે. આ ટ્રેન પણ મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવતી હોવાથી દક્ષિણ ગુજરાતના ચાહકોને પણ મોટો ફાયદો થશે.
બુકિંગની વિગતો અને મુસાફરો માટે સૂચના
આ સ્પેશિયલ ટ્રેનો માટે બુકિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટ્રેન નંબર 09027 માટે બુકિંગ 6 માર્ચથી શરૂ થઈ ગયું છે, જ્યારે ટ્રેન નંબર 09021 માટે 7 માર્ચથી બુકિંગ કરાવી શકાશે. મુસાફરો IRCTCની સત્તાવાર વેબસાઈટ અથવા રેલવે કાઉન્ટર પરથી ટિકિટ બુક કરી શકે છે. વધુ વિગતો માટે મુસાફરોને ભારતીય રેલવેની સત્તાવાર ઇન્ક્વાયરી વેબસાઇટની મુલાકાત લેવા માટે પણ સૂચવવામાં આવ્યું છે.
