સંબંધિત સમાચાર
- કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ
- સૌથી મોટી લાઈબ્રેરી પછી ગાંધીનગરને એક વધુ ભેટ, ગુજરાતની રાજધાનીમાં બનશે નવું ક્રિકેટ સ્ટેડીયમ
- ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 'ગુજરાત સેમીકોન 2026' સમિટનું આયોજન
- ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 314 સિંહોના મોત: વિધાનસભામાં સરકારે રજૂ કર્યા આંકડા
- ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025 પરિણામ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને વિદ્યાર્થીઓને આપી શુભેચ્છા
bhupendra patel
UPSC દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 ના અંતિમ પરિણામો 6 માર્ચ 2026 ના રોજ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના અનેક યુવાનોએ આ પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સફળતા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ટ્વીટમાં જણાવ્યું કે, "UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન! રાજ્ય માટે અત્યંત ગૌરવની વાત છે. આ સિદ્ધિ અન્ય લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે. રાજ્યના યુવાનોની અથાગ મહેનત આજે સફળતાના શિખરો સર કરી રહી છે, તેની ખુશી વ્યક્ત કરું છું.
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2025 માં ગુજરાતના કુલ 34 જેટલા તેજસ્વી દીકરા-દીકરીઓ ઉત્તીર્ણ થયા છે, જે આપણા રાજ્ય માટે અત્યંત ગૌરવની વાત છે. સફળતા મેળવનાર સૌ ઉમેદવારોને હાર્દિક અભિનંદન સહ ઉજ્જ્વળ ભવિષ્યની હાર્દિક શુભકામના પાઠવું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 6, 2026
SPIPA - ગુજરાત સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ…
ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને અઘરી ગણાતી આ યુપીએસસી પરીક્ષા 2025 માં રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો છે. તેમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન અને દેશમાં ટોપર બનવાની સિદ્ધિથી તેમના પરિવારની સાથે સાથે તેમના મૂળ રાજ્ય રાજસ્થાન માટે પણ ગૌરવનો વિષય બન્યો છે. દેશભરમાં આ શાનદાર પરિણામની ખૂબ ચર્ચા થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, UPSC સિવિલ સેવા પરીક્ષા મુખ્યત્વે ત્રણ કઠિન તબક્કામાં લેવામાં આવે છે. પ્રથમ તબક્કો પ્રારંભિક પરીક્ષા (પ્રિલિમ્સ) છે, જેમાં પાસ થનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા (મેઈન્સ) માટે લાયક બને છે. બીજો તબક્કો મેઈન્સ સૌથી કઠિન હોય છે, જેમાં નિબંધ, સામાન્ય અભ્યાસ અને વૈકલ્પિક વિષયની લેખિત પરીક્ષા દ્વારા ઉમેદવારની વિશ્લેષણાત્મક ક્ષમતા ચકાસાય છે. અંતિમ તબક્કા ઇન્ટરવ્યૂ (પર્સનાલિટી ટેસ્ટ) માં ઉમેદવારના વ્યક્તિત્વ અને નિર્ણયક્ષમતાનું મૂલ્યાંકન કરી ફાઇનલ મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.
આ વર્ષની પરીક્ષા પ્રક્રિયાના સમયપત્રક પર નજર કરીએ તો, UPSC 2025 ની મુખ્ય લેખિત પરીક્ષા (મેઈન્સ) ઓગસ્ટ 2025 માં યોજવામાં આવી હતી. ત્યારબાદ આ લેખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ ફેબ્રુઆરી 2026 માં લેવામાં આવ્યા હતા. આ તમામ પ્રક્રિયાઓ અને તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ અંતે 6 માર્ચ 2026 ના રોજ સત્તાવાર રીતે આ અંતિમ પરિણામની જાહેરાત કરવામાં આવી હતી.
