1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક

બજાર પર સીઆર.આરની અસર નહી

બીએસઈ
વિશેષજ્ઞોનુ માનવુ છે કે રિઝર્વ બેંક દ્વારા ગયા અઠવાડિયે સપ્તાહ ત્રિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં રોકડ આરક્ષણ અનુપાતમાં વધારા અને ફુગાવાના અનુમાનની શેર બજારો પર ખૂબ વધુ અસર નહી થાય, કારણ કે આ બંને તત્વોનો પ્રભાવ બજાર પર પહેલા જોઈ ચૂકાયો છે.

એંજલ બ્રોકિંગના પ્રબંધ નિદેશક દિનેશ ઠક્કરે અહીં કહ્યુ સીઆરઆરમાં ઉદ્યોગ જગતના 0.50 ટકાના મુકાબલે 0.75 ટકાનો વધારાની બજાર પર વધુ અસર નહી થાય.

તેમણે કહ્યુ કે રિઝર્વ બેંકના આ પગલાથી વ્યાજ દરોમાં વધારાની તત્કાલ કોઈ શક્યતા નથી, કારણ કે બેંકની પાસે અને અર્થવ્યવસ્થામાં પૂરતી રોકડ છે.