1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 25 જુલાઈ 2025 (08:28 IST)

જીવંતિકા વ્રત 2025- આજથી જીવંતિકા વ્રતની શરૂઆત આ રીતે કરો બાળકો માટે

શ્રાવણ માસ 25 જુલાઈથી શરૂ થયુ છે તેથી આજથી દિવાસો પણ લાગી ગયુ છે અષાઢી અમાસથી દશામાં વ્રત અને શ્રાવણના પ્રથમ દિવસે જ જીવંતિકાઅ વ્રતથી શ્રાવણ મહીનાની શરૂઆત થઈ ગઈ છે. 

- જીવંતિકા વ્રત માતાઓ દ્વારા તેમના બાળકના રક્ષણ માટે કરાય છે.

- આ વ્રત કરવાથી બાળકોની આયુષ્ય વધે છે અને બાળક સ્વસ્થ રહે છે. 

- શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે
 
આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા. પીળા મંડપ નીચે સુવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવુ નહીં.

- આ દિવસે નહાઈ ધોઈને લાલ રંગના કપડા પહેરી માતાજીની પૂજા કરી કથાવાંચવી. 

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા