શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (07:44 IST)

અચાનક ધન મળી જાય તો વાત બની જાય... જો તમે ઈચ્છો છો તો આ 6 ઉપાય અજમાવી જુઓ

મેહનતથી મોટું કોઈ ધન નહી. પણ સાંસારિક સુખને મેળવવા માટે જે ધન જોઈએ જો તે ખૂબ મેહનત કર્યા પછી પણ નહી મળી રહ્યું છે તો જરૂરિયાત છે તમારા જીવનની મુશ્કેલીઓને સમાપ્ત કરવાની .. આ 6 સરળ ઉપાય અજમાવીને જુઓ નક્કી લાભ થશે. 
* અચાનક ધન લાભની ઈચ્છા છે તો સફેદ રંગની ધ્વજા પીપળના ઝાડ પર લગાવવી જોઈએ. 
 
* સૂનશાન કૂંવા પર દીપક પ્રગટાવવાથી દુશ્મનનો નાશ અને અચાનક ધન પ્રાપ્તિ હોય છે. દીપક રાત્રે કે સાંજે જ પ્રગટાવવું જોઈએ. દીપક પ્રગટાવ્યા પછી પાછળ વળીને ન જોવું જોઈએ. 
 
* પીપળબા ઝાડ પર તેની છાયામાં ઉભી થઈને જળ ચઢાવવું જોઈએ. જળ ચઢાવવા માટે લોખંડના પાત્ર લેવું જોઈએ. જળમાં ખાંડ, ઘી અને દૂધ પણ મિક્સ કરીવું. આ પ્રયોગથી જીવનમાં ચમત્કારિક રૂપથી અનૂકૂળતા આવવા લાગે છે. 
 
* શુક્રવારના દિવસે કમળાઅ ફૂલ લાવીને તમારી તિજોરીમાં કે કોઈ અલમારીમાં લાલ કપડામાં બાંધીને રાખવું જોઈએ. આવું કરવાથી માણસને તેમની જરૂરિયાત પ્રમાણે ધન સરળતાથી મળે છે. 
 
* નાગકેશરના છોડ  કોઈ શુભ મૂહૂર્તમાં ઘરમાં લગાવવું જોઈએ અને નિયમિત રૂપથી તેની દેખભાલ કરવી જોઈએ. જેમ જેમ છોડ વૃદ્ધિ કરશે તેમ તેમ  તે માણસની આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે. 
 
* લક્ષ્મીજીના શ્રીયંત્ર ઘરમાં આર્થિક ઉન્નતિ અને ભૌતિક સુખ સંપદા લઈને આવે છે. તેનાથી સારું કોઈ યંત્ર નથી. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા અને વ્યાપારમાં વૃદ્ધિ માટે શ્રીયંત્ર સર્વશ્રેષ્ઠ છે. શ્રીયંત્ર આર્થિક ઋણથી મુક્તિ અપાવે છે અને સાથે મનોકામના પણ પૂરી કરે છે .