શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 29 ઑક્ટોબર 2018 (16:17 IST)

શું તમે જાણો છો ખુશબુદાર કપૂરના એવા ટૉટકા જે ધન માટે કરાય છે .. વાંચો 10 ઉપાય

કર્પૂર કે કપૂર મીણની રીતે ઉડનશીલ દિવ્ય વાનસ્પતિક દ્ર્વ્ય છે. તેને હમેશા આરતીના પછી કે આરતી કરતા સમયે પ્રગટાય છે જેનાથી વાતાવરણમાં સુંગંધ ફેલી જાય છે અને મન અને મગજને શાંતિ મળે છે. કપૂરને સંસ્કૃતમાં કર્પૂર, ફારસીમાં કાફૂર અને અંગ્રેજીમાં કેંફોર કહે છે. 
 
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેના મહત્વ અને ઉપયોગ વિશે જણાવ્યું છે. કર્પૂરના ઘના ઔષધિના રૂપમાં પણ ઘણા ફાયદા છે. અમે તમને જણાવીશ કે કર્પૂર કે કપૂરથી કેવી રીતે સંકટ મુક્તિ થઈને માલામાલ બની શકે છે અને કેવી રીતે તમારા ગ્રહ અને ઘરને પણ મુશ્કેલીઓથી મુક્ત રાખી શકે છે. 
 
પહેલો ઉપાય
પુષ્ય પ્રાપ્તિ માટે- કર્પૂર પ્રગટાવવાની પરંપરા પ્રાચીને સમયથી ચાલી આવી રહી છે. શાસ્ત્રો મુજબ દેવી દેવતાઓની સામે કર્પૂર પ્રગટાવવાથી અક્ષય પુણ્ય મળે છે તેથી દરરોજ સવારે અને સાંજે ઘરમાં સંધ્યાવંદનના સમયે કર્પૂર જરૂર પ્રગટાવો. 
બીજો ઉપાય
પિતૃદોષ અને કાલસર્પદોષથી મુક્તિ માટે- કપૂર પ્રગટાવવાથી દેવદોષ અને પિતૃદોષનો નાશ હોય છે. હમેશા લોકો શિકાયત કરે છે કે અમે કદાચ પિતૃદોષ છે કે કાલસર્પદોષ છે. આ રાહુ અને કેતુનો પ્રભાવ માત્ર છે. તેને દૂર કરવા માટે ઘરના વાસ્તુને ઠીક કરવું. 
 
જો આવું નહી કરી શકતા તો દરરોજ સવારે સાંજે અને રાત્રે ત્રણ વાર  કપૂરને ઘીમાં પલાળી તેને પ્રગટાવો. તેમાંથી નીકળતી ઉર્જા દ્વારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. ઘરના બાથરૂમ અને શૌચાલયમાં  કપૂરની બે ગોળી મૂકો. માત્ર આટલું જ ઉપાય ઘણું છે. 
 
આકસ્મિક દુર્ઘટનાથી બચાવ- આકસ્મિક દુર્ઘટનાના કારણે રાહુ, કેતુ અને શનિ હોય છે. તે સિવાય અમારી તંદ્રા અને ક્રોધ પણ દુર્ઘટનાના કારણ બને છે. તેના માટે રાત્રિમાં હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી કપૂર પ્રગટાવો. 
 
પણ દરરોજ સવારે સાંજે જે ઘરમાં કપૂર પ્રગટાવે છે તે ઘરમાં કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના અને દુર્ઘટના નહી હોય. રાત્રે સૂતા પહેલા કપૂર પ્રગટાવી સોવું વધારે લાભદાયક છે.
 
ચોથો ઉપાય
સકારાત્મક ઉર્જા અને શાંતિ માટે- ઘરમાં જો સકારાત્મક ઉર્જા અને શાંતિનો નિર્માણ કરવું છે તો દરરોજ સવારે અને સાંજે કપૂરને  ઘીમાં પલાળી તેને પ્રગટાવો અને સંપૂર્ણ ઘરમાં તેની સુગંધ ફેલાવો. આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે. 
 
વૈજ્ઞાનિક શોધથી આ પણ જાણવા મળ્યું છે તેની સુગંધથી જીવાણુ વગેરે રોગ ફેલાવનાર જીવ નષ્ટ થઈ જાય છે. વાતાવરણ શુદ્ધ બને છે અને રોગોનો ડર પણ નહી રહે છે. 
પાંચમો ઉપાય
અચાનક ધન પ્રાપ્તિ માટે- ગુલાબના ફૂલમાં કપૂરના ટુકડા મૂકો. સાંજના સમયે ફૂલમાં એક કપૂર પ્રગટાવો અને ફૂલને દેવીના ચરણમાં ચઢાવી  દો. તેનાથી તમને અચાનક ધન મળી શકે છે. 
 
આ કાર્ય ક્યારે પણ શરૂ કરીને ઓછામાં ઓછા 43 દિવસ સુધી કરશો તો લાભ મળશે. 
 
છટ્ઠો ઉપાય 
વાસ્તુદોષને દૂર કરવા માટે- જો ઘરમાં વાસ્તુ દોષ થઈ રહ્યું છે તો ઘરમાં કપૂરની બે ગોળી મૂકો. જ્યારે આ ઓગળી જાય તો ફરી  બે ગોળી મૂકો. સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો એનાથી વાસ્તુદોષ દૂર થાય છે. 
 
સાતમો ઉપાય 
ભાગ્ય ચમકાવવા માટે- પાણીમાં કપૂરના તેલના ટીંપા પાણીમાં નાખો અને પછી તે પાણીથી સ્નાન કરો. તમારું ભાગ્ય ચમકશે. જો તેમાં કેટલીક ટીંપા ચમેલીના તેલને પણ નાખશો તો તેનાથી રાહુ કેતુ અને શનિનો દોષ નહી રહેશે. પણ આ માત્ર શનિવારે જ કરવું.