Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - ગંદુ રસોડુ છે રાહુદોષનુ કારણ, આ 4 ઉપાયો કરશે દૂર

Updated: સોમવાર, 10 જૂન 2019 (13:16 IST)
રસોડુ એ એવુ સ્થાન છે જ્યા સારુ આરોગ્ય જ નહી પણ સુખ સમૃદ્ધિ સાથે પણ જોડાયેલુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની બધા સ્થાનથી વધુ રસોડુ સ્વચ્છ રાખવુ જોઈએ. કારણ કે અવુ ન કરવાથી રાહુદોષ ઉત્પન થઈ શકે છે.   જેનાથી પરિવારના આરોગ્ય પર અસર પડવા સાથે જ તે નકારાત્મક ઉર્જાનુ પણ કારણ બને છે. 
 
કેવી રીતે જાણશો રસોડામાં રાહુ દોષ છે કે નહી 
 
આ માટે સૌથી પહેલી વાત છે  તૂટેલા દરવાજા અને અંધારા ખૂણા - વાસ્તુશાસ્ત્ર મુજબ રાહુ તૂટેલા દરવાજા ઉખડી ગયેલુ પ્લાસ્ટર દિવાલો પર પડેલી દરાર તૂટી ફુટી વસ્તુઓ અને અંધારા ખૂણામાં રહે છે. અને તેમાં નકારાત્મક ઉર્જા સૌથી વધુ હોય છે. 
 
લાંબુ રસોડુ પણ છે રાહુદોષનુ કારણ 
 
જો તમારુ રસોડુ ખૂબ લાંબુ છે તો તેનાથી પણ રાહુદોષ ઉભો થઈ શકે છે.  સાથે જ રસોડામાંથી નીકળનારો ધુમાડો પણ રાહુદોષનુ કાર્ણ બને છે.   આ ઉપરાંત જો રસોડાનો રંગ ફીકો થવા માંડે તો તેન ફરીથી પેંટ કરાવો કારણ કે તેનાથી વાસ્તુદોષ ઉભો થાય છે. 
 
રસોડામાંથી રાહુ દોષ ભગાડવાના ઉપાય 
 
સૌ પહેલા તૂટેલી વસ્તુઓને રિપેયર કરાવો - જો તમારા રસોડામાં કોઈ વસ્તુ તૂટી છે તો તેને ઠીક કરાવો અને અંધારા ખૂણામાં રોશનીની વ્યવસ્થા કરો. જેથી રાહુદોષ ઉભો ન થાય 
 
રસોડાને સારી રીતે કરો સ્વચ્છ 
 
રસોડાને હંમેશા સ્વચ્છ રાખો.  રાત્રે સૂતા પહેલા તેની સાફ સફાઈ કરો. એઠા વાસણ વોશ બેસિનમાં રાત્રે ન મુકશો. સવાર અને સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં ધૂપ દીપ કરો. 
 
દૂધનુ ઉકળવુ - વાસ્તુ શાસ્ત્ર મુજબ જો રોજ દૂધ ઉભરાય જવુ પણ આનુ કારણ બને છે અને તેને અશુભ સંકેત પણ માનવામાં આવે છે. તેથી સારુ રહેશે કે તમે ધીમા તાપ પર દૂધ ગરમ કરો અને તેને ગેસ પર ઉભરવા ન દો. 
 
 
રસોડામાં હોવી જોઈએ યોગ્ય અજવાળુ - રસોડની સાફ સફાઈ કરવા છતા પણ કોકરોચ આમ તેમ ભાગતા દેખાય જાય છે તો તેનુ કારણ પણ રાહુદોષ હોઈ શકે છે. કીડા મકોડા ભગાડવા અને રાહુદોષને દૂર કરવા માટે ધ્યાન રાખો કે રસોડામાં યોગ્ય અજવાળુ આવવુ જરૂરી છે.  જો તમારા રસોડામાં દિવસે સારુ એવુ અજવાળુ હોય છે તો મતલબ રસોડુ વાસ્તુના હિસાબથી 100 ટકા યોગ્ય છે. 
 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Kevda trij pooja samagri- હરતાલિકા ત્રીજ કે કેવડા ત્રીજની પૂજા સામગ્રી અને પૂજા વિધિ

2026 માં બ્રિક્સ સમિટનું પરિણામ શું રહ્યું? કયા દેશને ફાયદો થયો અને કયાને નુકસાન થયું? જાણો 5 મુદ્દાઓમાં.

"આપણી વિવિધતા આપણી ઓળખ અને આપણો સહકાર આપણી પ્રેરણા બને," બ્રિક્સ સમિટમાં પીએમ મોદીએ કહ્યું.

આજે અનેક રાજ્યોમાં હવામાન બગડશે, ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી; IMD એ ચેતવણી જારી કરી

મુંબઈના ટ્રાફિક જામમાં ફસાયેલા નીતિન ગડકરીએ કહ્યું, "આ માટે હું જવાબદાર છું."

આગળનો લેખ
Show comments