મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

વાસ્તુ ટિપ્સ - આ રીતે ઘરમાં એકસાથે લાવો બરકત અને ખુશીઓ

ઘરને સજાવવામાં ફુલ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જોનારાઓનું મન મોહી લે છે સાથે જ નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરી સકારાત્મકતાનો સમાવેશ કરાવે છે. વાસ્તુના અનુસાર જો ઘરમાં ફુલ સુશોભિત કરવામાં આવે તો ખુશીયોની સાથે સાથે બરકત પણ આવશે. 
 
- લાલ રંગના ફુલ દક્ષિણમાં અને પીળા રંગના ફુલ દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પૂર્વમાં લગાવવાથી પારિવારિક સભ્યોમાં જિંદાદિલી અને જોશનો સંચાર થાય છે. 
 
- બેડરૂમમાં સુકાયેલા અને કરમાયેલા ફુલ ન મુકો આનાથી ખરાબ શક્તિયોને પ્રોત્સાહન મળે છે. તાજા ફુલોને દક્ષિણમાં સજાવો. 
 
- પારિવારિક સભ્યોમાં વિવાદ રહેતો હોય તો ભૂરા રંગના ફુલોને અગ્નિ ખૂણામાં સજાવો. 
 
- જે સ્થળ પર બેસીને તમે તમારી રોજીરોટી મેળવો છો ત્યા રોજ તાજા ફુલોનો ગુલદસ્તો સજાવો. આનાથી તમારુ કામનો વિસ્તાર થશે અને સફળતા મળશે. 
 
- ઘરના મુખ્ય દ્વાર પાસે ફુલ રહેવાથી વાતાવરણ શુદ્ધ થવા ઉપરાંત શુભ લાભનુ આગમન થશે. 
 
- વાસ્તુ અને ફેંગશુઈ મુજબ ઘરમાં બોનસાઈ છોડ ન લગાવવા જોઈએ.