શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: રવિવાર, 28 મે 2023 (10:26 IST)

Vastu Tips - લક્ષ્મીજી જરૂર કરશે પ્રવેશ, બસ આ સ્થાન પર પ્રગટાવી દો પીળી મીણબતીઓ

candle vastu
candle vastu
Vastu Tips: મીણબત્તીઓ ઘરમાં રોશની કરવા ઉપરાંત અન્ય ફાયદાઓ પણ આપે છે. આપણને બસ તેના રંગ અને દિશા વિશે યોગ્ય માહિતી હોવી જરૂરી છે. તો આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે જાણીશું કે ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં કયા રંગની મીણબત્તીનો ઉપયોગ કરવો જોઈએ અને તેનાથી શું લાભ થશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પીળા રંગની મીણબત્તીઓ દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી સારી માનવામાં આવે છે.
 
જણાવી દઈએ કે  દક્ષિણપશ્ચિમ કોણ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને પૃથ્વી પીળા રંગ સાથે સંબંધિત છે. તેથી, પીળા રંગની મીણબત્તીઓનો ઉપયોગ દક્ષિણ-પશ્ચિમ કોણમાં એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં કરવો જોઈએ. આ દિશામાં પીળા રંગની મીણબત્તીઓ લગાવવાથી આપણું લિવર સિસ્ટમ ઠીક રહે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળે છે. આ સાથે માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દરવાજા પર પીળા રંગની મીણબત્તીઓ લગાવવાથી પરિવારમાં ધન અને સુખ-સમૃદ્ધિની દેવી લક્ષ્મી આવે છે.
 
બીજી તરફ લાલ રંગની મીણબત્તી દક્ષિણ દિશામાં પ્રગટાવવી શુભ માનવામાં આવે છે. આ દિશામાં લાલ રંગની મીણબત્તી પ્રગટાવવાથી વ્યક્તિની અંદરની ઉર્જા જાગૃત થાય છે. આ સાથે દક્ષિણ દિશા ઘરની વચલી દીકરી સાથે સંબંધિત છે. તેથી, લાલ રંગની મીણબત્તી દક્ષિણ દિશામાં લગાવવી ઘરની વચલી દીકરી માટે પણ ફાયદાકારક છે. તેની સાથે આંખો સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને આંખોની રોશની તેજ બને છે.
 
સફેદ રંગની મીણબત્તીઓ પશ્ચિમ દિશામાં રાખવાથી ઘરનું સુખ તત્વ વધે છે, જેથી ઘરમાં સુખ-શાંતિ જ રહે છે. આ ઉપરાંત  ઘરની નાની છોકરીઓને પણ સુખ મળે છે. સાથે જ  મોં સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ચહેરા પર એક અલગ જ ચમક આવે છે.