ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 28 એપ્રિલ 2016 (17:57 IST)

VASTU - ક્યાક તમારા ઘરમાં તો નથી આ દોષ, આજે જ દૂર કરો આ ઉપાયોથી

સતત અને ઈમાનદારીથી મહેનત કર્યા પછી પણ જો તમે આગળ ન વધી રહ્યા હોય.. પૈસાની ઉણપ સતત બની રહેતી હોય અને આને કારણે જ ઘરમાં કંકાસ થાય છે.  તો વિશ્વાસ કરો કે કમી તમારી કોશિશોમાં નથી પણ ઘરમાં વાસ્તુ દોષ આનુ કારણ છે.  વાસ્તુ શાસ્ત્રી મુજબ ઘર બનાવતી વખતે દેવતાનુ સ્થાઅન અને મંદિર વગેરેની ખોટી દિશસ હોવાથી અથવા તો રોજ પૂજા પાઠ ન હોવાને કારણે વાસ્તુ દોષ આવે છે.  જાણો કંઈ વાસ્તુ ટિપ્સ તમારા ઘરમાં રોનક પાછી લાવી શકે છે. 
 
-ચાઈનીઝ છોડ ઘર પર મુકવાથી ઘરમાં સુખ-શાંતિ અને ઘનમાં લાભ મળે છે. 
- પૂજાવાળો શંખ પોતાના ઘરમાં જરૂર મુકો. શંખ ઘરે હોવાથી ધન વધે છે.  જો દક્ષિણામુખી શંખ હોય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઘરમાં ધન લાભ જ  આપે છે. 
- ધનના સ્વામી કુબેરની મૂર્તિ કે ફોટો ઘર પર લગાવો. નિયમિત રૂપે તેમની પૂજા કરો. 
- ધનની પ્રાપ્તિ માટે પિરામિડ ખૂબ જ લાભકારી છે. આ ઘરમાં સકારાત્મક ઉર્જા ઉભી કરે છે. 
- શ્રીયંત્રને ઘરમાં મુકવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. જો શ્રીયંત્ર સ્ફટિકનો છે તો લાભ વધુ થાય છે. 
- વિંડ ચાઈમને તમારા ઘરની બહારના ગેટ અને અંદરના ગેટ પર લગાવો.  આ ઘરમાં સકારાત્મક પ્રભાવ નાખે છે. 
- લાફિંગ બુદ્ધાને ઘર પર મુકવાથી ઘરમાં ધન લાભ થાય છે. લાફિંગ બુદ્ધા દ્વારા ઘરમાં ખુશીયો આવે છે.