Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રત્ન ધારણ કરશો તો ચમકી જશે તમારુ નસીબ

Updated: ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (13:21 IST)
રત્ન જ્યોતિષ મુજબ કોઈપણ વ્યક્તિના જીવન પર તેના કર્મ સાથે રાશિ અને તેની સાથે સંબધિત ગ્રહોનો સીધો પ્રભાવ પડે છે.   તેનાથી આપણે ભૂત, વર્તમાન અને ભવિષ્યની ગણતરી સહેલાઈથી કરી લઈએ છીએ. જે વ્યક્તિને પરેશાની અને દુખ દુર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  દરેક રાશિનો રત્ન કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત હોય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ કમજોર છે તો જ્યોતિષાચાર્ય તેની સાથે સંબંધિત રત્ન પહેરવાની સલાહ આપે છે. આવો જ એક રત્ન છે માણિક્ય જેને ધારણ કરવાથી તમારુ નસીબ ચમકી શકે છે. 
 
આવો જાણીએ આ રત્ન વિશે 
 
- આનો સ્વામી સૂર્ય અને રાશિ સિંહ છે . 
- જ્યોતિષ મુજબ આમ તો માણેક (Ruby)રત્ન ધારણ કરવાથી અનેક લાભ થાય છે. 
- માણેક ધારણ કરનાર વ્યક્તિને પ્રોફેશનલ ક્ષેત્રમાં સફળતા મળે છે. 
 તેના પ્રભાવથી જાતક સમાજમાં અગત્યની ભૂમિકા ભજવે છે. અને તેની લોકપ્રિયતા વધે છે.  
- જ્યોતિષ મુજબ કોઈ જાતકની કુંડળીમાં જો સૂર્ય ઉચ્ચ સ્થિતિમાં હોય અને તે માણિક્ય ધારણ કરી લે તો તેને સરકારી અથવા ખાનગી ક્ષેત્રમાં ઉચુ પદ પ્રાપ્ત થાય છે.  -  સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ માણિક્યના અનેક ફાયદા છે. તેનાથી જાતકના  નેત્ર સંબંધી વિકાર અને શારીરિક કમજોરી દૂર થઈ જાય છે. 
 
આ રીતે ધારણ કરો 
 
માણિક્યને સોનાની અંગૂઠીમાં જડીને રવિવાર સોમવાર કે ગુરૂવારના દિવસે ધારણ કરવુ જોઈએ. પહેરતા પહેલા માણિક્યને ગંગાજળથી શુદ્ધ કરી લેવુ જોઈએ.. ધ્યાન રાખો.. આ તમારી ત્વચા સાથે જરૂર સ્પર્શ થવુ જોઈએ.  માણિક્ય રત્ન ઓછામાં ઓછો 2 કેરેટનો હોવો જોઈએ.  શક્ય હોય તો તમે 5 રૂબી પણ ધારણ કરી શકો છો. 
 
આ આલેખમાં આપવામાં આવેલ મહિતી પર અમે દાવો નથી કરી શ્કતા કે તે સટીક છે.. આને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

NEET પેપર લીક મામલે CBIએ 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 પુરાવાઓ સાથે ચાર્જશીટ દાખલ કરી, કોર્ટમાં કાલે સુનાવણી

લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા થઈ. તેજસ્વી સૂર્યાએ કહ્યું, "લાંબા સમય પછી, શિક્ષણ પ્રણાલીમાં સુધારા કરવામાં આવી રહ્યા છે."

શુ હાર્દિક પડ્યા છોડી દેશે મુંબઈ ઈંડિયંસનો સાથ, આઈપીએલ 2027 ના પહેલા ડીલની ચર્ચા વાયરલ

જાપાનમાં આજે શક્તિશાળી ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા, સુનામીની ચેતવણી જારી

AMCનું કડક વલણ: EWS અને LIG આવાસ ગેરકાયદે ભાડે આપશો તો 90 દિવસ માટે થશે સીલ

આગળનો લેખ
Show comments