Webdunia - Bharat's app for daily news and videos

Install App

38મી રથયાત્રા : બે વર્ષ બાદ ભગવાન મોસાળમાં જશે, પ્રસાદ બનાવવા માટે રસોયા સહિતની ટીમો કામે લાગી

શુક્રવાર, 1 જુલાઈ 2022 (13:59 IST)
ગાંઘીનગર :  કોરોનાના કપરાકાળ બાદ પહેલી વખત વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી. બે વર્ષ બાદ આ વખતે ભગવાન મોસાળા ગયા છે ત્યારે સે-૨૯ જલારામ મંદિર ખાતે પણ તડામાર તૈયારીઓ થઈ.
 
આ અંગે જલારામ સેવા સમાજના પ્રમુખ સેવંતીલાલ ઠક્કર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છ હજાર ભક્તો માટે ચોખ્ખા ઘીનો ૮૦૦ કિલો જેટલા મોહનથાળ પ્રસાદમાં બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ખિચડી તથા છાલવાળા બટેટા ટામેટાનું શાક પણ ભક્તોને પિરસવામાં આવશે. ભક્તો માટે બે હજાર લીટર જેટલી છાશની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તો ભગવાન અને ભક્તોની સેવામાં જલારામ મંદિરના ૧૦૦ જેટલા સ્વયંસેવકો પણ ખડેપગે હાજર રહેશે.
 
મોહનના મોસાળામાં એટલે કે, જલારામ મંદિર ખાતે મહોનથાળનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે જે માટેની તૈયારી શરૃ કરી દેવામાં આવી છે. અને રસોશિયા સહિત દસ માણસોની ટીમ દ્વારા કામગીરી પણ શરૃ કરી દેવાઇ છે. ૮૦૦ કિલો જેટલા ચોખ્ખા ઘીના મોહનથાળ માટે ૨૦૦ કિલો ચોખ્ખું ઘી, ૨૦૦ કિલો ચણાનો લોટ જ્યારે ૩૦૦ કિલો જેટલી ખાંડનો ઉપયોગ કરવામાં આવશે.જ્યારે ૬૦૦ કિલો ખિચડી બનાવવામાં આવનાર છે જે માટે ૪૦૦ કિલો ચોખા જ્યારે ૨૦૦ કિલો દાળની ખરીદી કરી દેવાઇ છે. શાક માટે ૪૦૦ કિલો બટેટા, ૫૦ કિલો ટામેટા જ્યારે ૧૦૦ વટાણાંનો ઉપયોગ કરવામાં આવનાર છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

ગુજરાતી જોક્સ - ફાંસી ની સજા

ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

ગુજરાતી જોક્સ - ડૉક્ટર

આગળનો લેખ
Show comments