Webdunia - Bharat's app for daily news and videos

Install App

CFL બલ્બ છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, આ જાણકારી તમારા માટે..

રવિવાર, 21 ઑક્ટોબર 2018 (08:48 IST)
આમ તો આપણે બધા જાણીએ છીએ કે CFL બલ્બ કેટલી વીજળી બચાવે છે, પણ મોટાભાગના લોકો એ નથી   જાણતા કે આ બલ્બમાં પારો હોય છે જે શરીરમાં જવાથી ખૂબ ઘાતક સિદ્ધ થાય છે. સ્મિથે આવા જ એક બલ્બના ઠંડા થવાની રાહ ન જોઈ અને તેણે હોલ્ડરમાંથી કાઢીને બદલવાની કોશિશ કરી. તે ગરમ હોવાથી તેના હાથમાંથી  છટકીને જમીન પર પડી ગયો. ધરતી પર પડતા જ બલ્બ તૂટી ગયો અને કાંચના ટુકડા વિખરાય ગયા. સ્મિથ ઉઘાડા પગે હતો અને અંધારામાં તેનો પગ કાચના ટુકડા પર મુકાય ગયો અને બલ્બમાં રહેલો પારો ઘાના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરી ગયો.  જેને કારણે  2 મહીના સુધી તેને ICUમાં રાખવો પડ્યો અને હવે એને પોતાનો પગ ગુમાવવાનો ડર છે. 
CFL ના સંબંધમાં આ એક જ ખતરો નથી પણ બીજી અનેક બાબતો પર જેના વિશે જાણવુ જરૂરી છે. આવો જાણીએ CFLના તૂટતા પર કરવું - 
 
1. ક્યારે પણ CFL ને તરત જ ન બદલશો પણ તેના ઠંડો થવાની રાહ જુઓ.
 
 
2. CFL તૂટી જતા તરત જ રૂમમાંથી નીકળી જાઓ, ધ્યાન રાખો કે પગ કાંચના ટુકડા પર ન પડે. 
3. પંખો,એસી  વગેરે બંધ કરી દો જેથી પારો ફેલાય ન જાય. 
 
4. ઓછામાં ઓછા 15-20 મિનિટ પછી રૂમમાં પ્રવેશ કરીને તૂટેલા કાંચને સાફ કરો. પંખો બંધ રાખો અને મોઢું ઢાંકીને રાખો. હાથના મોજા અને કાર્ડબોર્ડની મદદથી કાંચને એકત્ર કરો. સાવરણીનો  ઉપયોગ ન કરશો.. તેનાથી પારો ફેલાવવાનો ભય રહે છે. કાંચના બારીક કણને ટેપની મદદથી ચોંટાડીને સાફ કરો. 
 
5. કચરા ફેંક્યા બાદ સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહી.  
 
6. જો કોઈ કારણસર વાગી ગયુ હોય તો તરત જ ચિકિત્સકને બતાવો અને તેમને તમારા ઘા વિશેની સાચી અને  સંપૂર્ણ માહિતી આપો. 
 
સીસુ અને આર્સેનિકથી પણ વધુ ઝેરીલો અને ઘાતક હોય છે પારો. આથી CFLનો ઉપયોગ કરતી વખતે ખૂબ સાવધાની રાખો.  આ માહિતી વધુથી વધુ લોકોને શેયર કરો અને બીજાને તેનાથી થતી દુર્ઘટનાથી બચાવો. 

વધુ જુઓ..

Video: મોબાઈલ ફોન છીનવીને ભાગી રહેલા યુવાનનું મોત. હાર્ટ પેશન્ટ હતો. 250 મીટર દોડ્યા પછી પડી ગયો અને ઊભો થયો જ નહીં.

"હું નાસ્તો નહીં રાંધું," પતિ ગુસ્સે થયો, પછી તેણે તેની 8 મહિનાની ગર્ભવતી પત્નીને...

12 વર્ષના છોકરાએ પોર્નોગ્રાફિક વીડિયો જોયા, પછી 9 મહિનાની બાળકીનું અપહરણ કરીને તેનું જાતીય શોષણ કર્યું

લખનૌના એક કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 12 લોકોના મોત થયા

38% મોંઘવારી ભથ્થું અને 100,000 નોકરીઓ: પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારી સરકારનું પહેલું બજેટ રજૂ થયું; મુખ્ય મુદ્દાઓ જાણો નિર્દેશોમાં

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments