Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Remedies - અસ્થમા પર કંટ્રોલ કરવાના ઘરેલુ ઉપચારો

દમાનો કોઇ કાયમી ઇલાજ નથી પણ તેના પર નિયંત્રણ અચૂક કરી શકાય છે જેથી દમાથી પીડાતી વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે. દમા અર્થાત્ અસ્થમાનો હુમલો થવાથી શ્વાસનળી સંપૂર્ણપણે બંધ થઇ શકેછે જેનાથી શરીરના મહત્વપૂર્ણ અંગોમાં ઓક્સિજન પહોંચવાનું બંધ થઇ જાય છે. ચિકિત્સાની દ્રષ્ટિએ આ એક મુશ્કેલીભરી સ્થિતિ છે. દમાના હુમલાથી દર્દીનું મૃત્યુ થઇ શકે છે. આમ તો દમાનો ઉપચાર ડોક્ટરી સલાહ-સૂચનથી કરવો યોગ્ય રહેશે પણ તેને કન્ટ્રોલ કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપચારો પણ છે જે બહુ લાભદાયક છે.

જેમ કે...

1. મધ એક સૌથી સરળ ઘરેલું ઉપચાર છે જે અસ્થમાના ઇલાજ માટે વપરાય છે. અસ્થમાનો હુમલો થતાં મધવાળા પાણીનો નાસ લેવાથી ઝડપથી રાહત મળે છે. આ સિવાય દિવસમાં ત્રણવાર એક ગ્લાસ પાણી સાથે મધ મિક્સ કરી પીવાથી બીમારીમાંથી રાહત મળે છે. મધ કફનો ઇલાજ કરે છે અસ્થમાની પરેશાની સર્જે છે.

2. એક કપ ઘસેલા મૂળામાં એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરી 20 મિનિટ સુધી ગરમ કરો. આ મિશ્રણને રોજ એક-એક ચમચી કરીને ખાઓ. આ ઇલાજ બહુ અસરદાર છે.

3. આખી રાત એક ગરમ પાણીવાળા ગ્લાસમાં સૂકા અંજીર પલાળી રાખો. સવાર થતાં જ ખાલી પેટ તે ખાઇ જાઓ. આમ કરવાથી પણ કફ દૂર થશે અને ઇન્ફેક્શનમાં રાહત મળશે.

4. કારેલા, જે અસ્થમા માટે અસરકારક ઇલાજ છે. તેની એક ચમચી પેસ્ટને લઇને મધ અને તુલસીના પાંદડાના રસ સાથે મિક્સ કરી ખાઓ. આનાથી શરીરની અંદરની એલર્જીમાં બહુ રાહત મળે છે.

5. અંદરની એલર્જીને દૂર કરવા માટે મેથી પણ બહુ અસરકારક છે. એક ગ્લાસ પાણી સાથે મેથીના કેટલાક દાણાને ત્યાંસુધી ઉકાળો જ્યાંસુધી પાણી એક તૃતિયાંશ ન થઇ જાય. હવે આ પાણીમાં મધ અને આદુનો રસ મિક્સ કરો. આ રસને દિવસમાં એકવાર પીવાથી અચૂક રાહત મળશે.

વધુ જુઓ..

ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો: અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને પંચમહાલમાં વાવાઝોડા સાથે વરસાદ

મહારાષ્ટ્ર: મુખ્યમંત્રી ફડણવીસની પત્ની અમૃતા ઓટોરિક્ષા ચલાવે છે, આ વાત પ્રકાશમાં આવી - VIDEO

હરિદ્વાર નજીક ડમ્પર ટ્રક અને પેસેન્જર બસ વચ્ચે અથડાતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા.

અશ્લીલ વીડિયો બતાવીને બનાવતો હતો શારીરિક સંબંધ, એક દિવસ મહિલા કંટાળી ગઈ; બહાને ઘરે બોલાવી અને પછી.

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ, ટ્રાયલ્સની સેમિફાઇનલમાં આ રેસલર સામે હારી ગઈ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જૂન 2026

Somwat Vrat 2026: સોમવારે ભગવાન શિવની પૂજા દરમિયાન બિલકુલ ન કરશો આ ભૂલો, નહિ તો નહિ મળે પૂજાનો પૂર્ણ લાભ

Shambhu Stuti: ભગવાન રામે શંભુ સ્તુતિની રચના શા માટે કરી? તેના નિયમો, ગીતો અને ફાયદા જાણો

અધિક માસ સ્પેશિયલ ફરાળ- સાબુદાણાના વડા

અધિક માસમાં સત્યનારાયણ કથાનું ધાર્મિક મહત્વ

આગળનો લેખ
Show comments