સંબંધિત સમાચાર
- સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને સંભવતઃ 16મી એપ્રિલે કોર્ટ સજા સંભળાવશે
- સુરતના ગ્રિષ્મા વેકરીયા હત્યા કેસમાં આવતા અઠવાડિયા સુધીમાં ચુકાદો આવવાની શક્યતા
- સુરતની ગ્રીષ્મા હત્યા કેસ પર બન્યુ શેરી નાટક 'સ્ટોપ'
- Grishma murder case- ગ્રીષ્મા કેસ: 76 સાક્ષીઓએ કોર્ટમાં શું કહ્યું
- ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી સુરતની ફાફેનિલને સ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરાયો, ગુનો કબૂલ ના કર્યો
સુરત ગ્રીષ્મા હત્યા કેસની સુનાવણી ટળી
સુરત ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં ગત 6 એપ્રિલના રોજ દલીલો પૂર્ણ થઈ હતા. આ કેસમાં વધુ સુનાવણી કોર્ટે 16 એપ્રિલ જાહેર કરી હતી. જોકે આજે બચાવ પક્ષના વકીલ હાજર ન રહેતા કોર્ટે આગામી સુનાવણીની તારીખ 21 એપ્રીલ પર મુલતવી રાખી છે. જેથી સંભવતઃ ચુકાદો 21 એપ્રીલના રોજ જાહેર કરવામાં આવી શકે છે. સરકાર પક્ષ દ્વારા આરોપીને આકરામાં આકરી સજા થાય એવી માગ કરવામાં આવી છે.
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપીને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.
