Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેમ પહેલા રોજગારી પછી ચૂંટણી હૅશટૅગ ટ્વિટર પર ટ્રેન્ડ થવા માંડયું

ગુરુવાર, 16 જુલાઈ 2020 (15:12 IST)

ગુજરાતમાં સરકારી નોકરીમાં ભરતી કરવાની માંગ સાથે ડિજીટલ આંદોલન શરૂ કરાયું છે.  શિક્ષિત બેરોજગાર યુવાનોએ આજથી 10 લાખ ટ્વિટના લક્ષ્યાંક સાથે નવું હેશટેગ શરૂ કર્યું છે. સરકારે જાહેર કરેલા મહેકમ મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગ યુવાનો દ્વારા કરાઈ છે. જો ચૂંટણીની તારીખ જાહેર કરી શકાતી હોય તો સરકારી નોકરીઓની જાહેરાત કેમ ન કરી શકાય તેવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો. વધુમાં વધુ ટ્વિટના માધ્યમથી પોતાનો અવાજ સરકારના કાન સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાયો છે. ત્યારે વધુમાં વધુ ટ્વિટ થતા જ ટ્વિટર પર આ હેશટેગ ટ્રેન્ડિંગમાં આવી ગયું છે. અત્યાર સુધી આ હેશટેગમાં 26 હજારથી વધુ ટ્વિટ થઈ ચૂકી છે.પહેલા રોજગારી પછી ચૂંટણી હૅશટૅગ સાથે ગુજરાતના યુવાનો સીધો સંદેશ સરકારને અપાયો છે કે, જ્યાં સુધી સરકાર યુવાનોના બેરોજગારી અને જે સરકારી ભરતી પ્રક્રિયા અટકી પડી છે એના મુદ્દાનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી ચૂંટણી કરવાનો પણ એને કોઈ હક નથી. જો એવું થશે તો ચૂંટણીનો બહિષ્કાર થશે. સરકાર બેરોજગારીનું પહેલા વિચારે પછી ચૂંટણીનું વિચારે. જો સરકારને ગુજરાતના બેરોજગારોની ચિંતા હશે તો કંઇક નિર્ણય લેશે. બાકી સમજી લેવાનું કે સરકારને બેરોજગારોની નહીં, ફકત પોતાની શીટ અને ચૂંટણીની જ ચિંતા હશે.મેસેજમાં એમ પણ કહેવાયું છે કે, ચૂંટણી આવું રહી છે. અને આ જ એક મોકો છે આપણા કામ કઢાવવાનો અને સરકારનું નાક દબાવવાનો.. જો અત્યારે આપડે બેઠા રહીશું તો 2022 સુધી બેઠા જ રહેવું પડશે. આપડે અત્યારે રોડ ઉપર આવી ફિઝિકલ લડાઈ  લડી શકયે  એમ નથી. પરંતુ આપડે ડિજિટલ આંદોલન કરી જ શકાય છે. અને સરકાર દિલ્હી સુધી ધ્રુજી જાય તે પ્રકારે ડિજિટલ ટ્વીટર વોર કરવાનું છે.

વધુ જુઓ..

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

Tanning Home Remedies- હાથ-પગ તડકાને કારણે કાળા થઈ જાય, તો આ દહીંમાં ભેળવીને લગાવો, ટેનિંગ ઓછું થવા લાગશે

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

5 Types Buttermilk Recipe- 5 વિવિધ પ્રકારના છાશ (Best for Diet)

World Earth Day- જાણો 22 એપ્રિલે જ કેમ ઉજવાય છે આ દિવસ world Earth Day

વધુ જુઓ..

Divyanka Sirohi Death: માથા પર ઈજા કે હાર્ટ એટેક... ૩૦ વર્ષીય અભિનેત્રી દિવ્યાંકા સિરોહી નું કેવી રીતે થયું મોત ?

ગુજરાતી જોક્સ - રાવણ કોણ હતો

ગુજરાતી જોક્સ - જમતી વખતે વાતો ન કરાય.

ગુજરાતી જોક્સ - અઠવાડિયે વાંચ્યુ હતુ

ગુજરાતી જોક્સ - મારા લગ્નમાં

આગળનો લેખ
Show comments