શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 4 જાન્યુઆરી 2020 (14:22 IST)

જાણો સોશિયલ મીડિયા પર "મોદી એંટીનેશનલ હૈ" કેમ ટ્રેંડ થઈ રહ્યુ છે ?

નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરુદ્ધ દેશભરમાં પ્રદર્શનઓ સમય ચાલુ છે. માર્ગથી લઈને સોશિયલ મીડિયા સુધી લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ સમયે ટ્વિટર પર સરકારના નિર્ણય વિરુદ્ધ મોદી એંટીનેશનલ હૈ ટ્રેંડ કરી રહ્યુ છે. જુદા જુદા મીમ્સ દ્વારા યુઝર્સ પોતાની વાત મુકી રહ્યા છે. 
યુઝર્સ મીમ્સ દ્વારા સીએએને દેશના વિરુદ્ધ બતાવી રહ્યા છે અને સાથે જ પીએમ નરેન્દ્ર મોદીને એંટીનેશનલ પણ બતાવી રહ્યા છે. 
એક યુઝરે ભારતીય સંવિધાનને ચાર ખભા પર બતાવ્યુ છે. તો બીજાએ ડૂબતી નાવડી દ્વારા દેશની સ્થિતિ દર્શાવી છે. જુદી જુદી તસ્વીરો દ્વારા લોકોએ આ કાયદા અને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. 
પોતાના વલણ પર કાયમ અડગ સરકાર 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધુ છે કે ભલે બધા વિપક્ષી દળ એક થઈ જાય પણ ભાજપા નાગરિકતા સંશોધન કાયદા પર એક ઈંચ પણ પાછળ નહી હટે અને ન તો તેને રદ્દ કરશે 
 
અમિત શાહે કહ્યુ કે પાર્ટી ખૂબ મહેનત કરશે અને યુવાઓ અને અલ્પસંખ્યકો સુધી પહોંચ બનાવીને  તેમને સમજાવશે કે સીએએ ને નાગરિકતા છીનવા માટે નહી પણ અફગાનિસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ધાર્મિક રૂપથી ઉત્પીડિત અલ્પસંખ્યકોને નાગરિકતા આપવા માટે અલવી છે. 
તેમને લોકોને સીએએ પર મોદીને પોતાનુ સમર્થન શેયર કરવા અને મમતા, માયાવતી અને કેજરીવાલ સમૂહને કરારો જવાબ આપવા માટે  88662-88662 પર મિસ્ડ કૉલ આપવાનુ પણ આહ્વાહન કર્યુ.