Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - એક વાડકી પાણીથી દૂર થઈ શકે છે ઘરની નેગેટિવિટી

મંગળવાર, 12 જૂન 2018 (10:48 IST)
જો કોઈ વ્યક્તિને ઘરની નકારાત્મકતાને કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો જ્યોતિષ અને વાસ્તુમાં બતાવેલ ઉપાય કરવાથી લાભ મળી શકે છે. વેબદુનિયા  વાસ્તુ શાસ્ત્ર નકારાત્મકતા દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. 
 
વેબદુનિયાના વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જાણો ઘરની નેગેટિવિટી દૂર કરવાના ઉપાય.. 
 
પ્રથમ ઉપાય - રોજ સવારે એક વાડકી પાણીને સ્વચ્છ કરી તેમા પાણી ભરો અને તેમા તુલસીના પાન નાખી દો. ત્યારબાદ આ પાણીને ઘરમાં ખૂણે ખૂણે છાંટો. આ દરમિયાન ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરતા રહેવુ જોઈએ તુલસીના પાણીથી ઘરની નકારાત્મકતા ખતમ થઈ શકે છે અને વાતાવરણ પવિત્ર થઈ શકે છે. વિષ્ણુ મંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય. વેબદુનિયા
 
બીજો ઉપાય - જો ઘરના કોઈ સભ્યને ખરાબ સપના સતાવે છે તો સૂતા પહેલા રૂમમાં ઘી માં કપૂર નાખીને પ્રગટાવવો જોઈએ. આવુ કરવાથી રૂમની નેગેટિવિટી ખતમ થાય છે અને ઉંઘ સારી આવે છે. ખરાબ સપનાનો ભય નથી રહેતો. વેબદુનિયા
 
ત્રીજો ઉપાય - રાત્રે સૂતી વખતે ઘરના દરેક ખૂણામાં થોડુ આખુ મીઠુ મતલબ મીઠાના ગાંગડા કાંચની વાડકી કે કોઈ અન્ય વાસણમાં ભરીને મુકી દો. વેબદુનિયા  સવારે ઉઠ્યા પછી મીઠાને એકત્ર કરીને પાણીમાં વહાવી દો.  આ ઉપાય રોજ કરવાથી મીઠુ આખા ઘરની નકારાત્મકતા ગ્રહણ કરી લે છે અને સકારાત્મકતા વધારે છે. 
 
ચોથો ઉપાય - રોજ સવાર-સાંજ ઘરમાં પૂજા કરતી વખતે શંખ અને ઘંટી જરૂર વગાડો. શંખમાં પાણી ભરીને આખા ઘરમાં છાંટો.  ઘરમાં શંખનુ પાણી છાંટવાથી નેગેટિવિટી ખતમ થાય છે અને દૈવીય શક્તિઓનો વાસ થાય છે. વેબદુનિયા
 
સૂચના - આ આર્ટીકલની સામગ્રી કોપીરાઈટ છે. કોઈપણ અન્ય વેબસાઈટ પર જો કોપી કરેલ જોવામાં આવશે તો વેબદુનિયા તરફથી કોપીરાઈટનો કેસ કરવામાં આવશે. 

 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

શ્રેયસ અય્યરની કપ્તાની પર સવાલ, બીસીસીઆઈએ કોને સોંપી કપ્તાની

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં નવો ખુલાસો: ભક્તો પર નકલી રસીદોનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો

ટ્રમ્પના નિવેદનનો નોંધપાત્ર પ્રભાવ પડ્યો છે! સોનાના ભાવમાં 2,300 અને ચાંદીના ભાવમાં 7,000નો ઘટાડો

મહારાષ્ટ્રમાં ભારે વરસાદે તબાહી મચાવી... પુણેના પિંપરી-ચિંચવડમાં મકાન ધરાશાયી; કાટમાળ નીચે ૧૫ લોકો ફસાયા હોવાની આશંકા

અમિત શાહ એક્શન મોડમાં: વતન ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક ચર્ચા, રાહત કામગીરીની સમીક્ષા

આગળનો લેખ
Show comments