શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શનિવાર, 9 જૂન 2018 (17:12 IST)

આ એક ઉપાય કરશો તો જલ્દી થશે લગ્ન

ગુરૂવારના દિવસે 225 ગ્રામ લોટના પાંચ ગોળા બનાવો અને તેમા હળદર, ઘી, ગોળ અને ચણા મુકીને ગાયને ખવડાવો. આ દરમિયાન તમારી મનોકામના ગાયના કાનમાં કહી દો. જો કે આ ધ્યન રાખો કે ગાય સફેદ નહી હોવી જોઈએ. 
 
જો લગ્ન નથી થઈ રહ્યા તો આવા જાતકના ન્હાવાના પાણીમાં 21 ગુરૂવાર સુધી એક ચપટી હળદર નાખીને સ્નાન કરવુ જોઈએ. તેનાથી જલ્દી લગ્ન થવાના યોગ પ્રબળ થઈ જાય છે. 
 
કોઈપણ મહિનાની શુક્લ પક્ષના ગુરૂવારના દિવસે એક પ્લેટમાં પાંચ મીઠાઈ, ત્રણ ઈલાયચી, બે સોપારી અને ઘી નો દીવો લઈને સરોવરના કિનારે જઈને પૂજા કરો. દીવો પ્રગટાવો અને પ્રાર્થના કરો.