શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2022 (08:47 IST)

Margashirsha Purnima 2022: કયારે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 કે 8 ડિસેમ્બરને? જાણી લો સાચી તારીખ પૂજા મુહુર્ત અને ઉપાય

Satyanarayan Bhagwan
હિન્દુ પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ પૂર્ણિમા તિથિ 7 ડિસેમ્બરના રોજ સવારે 8:01 વાગ્યે શરૂ થશે અને 8 ડિસેમ્બરના રોજ સવારે 9:37 વાગ્યે સમાપ્ત થશે.ઉદયા તિથિ અને 7 ડિસેમ્બરે આવતી પૂર્ણિમા તિથિને કારણે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 ડિસેમ્બર, બુધવારે ઉજવવામાં આવશે.
 
- માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને જો તે શક્ય ન હોય તો પવિત્ર નદીના પાણીમાં મિશ્રિત જળથી સ્નાન કરો.
 
- એવું માનવામાં આવે છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાથી અન્ય પૂર્ણિમાના દિવસો કરતાં 32 ગણું વધુ ફળ મળે છે. તો આ દિવસે દાન કરો.
 
- આ પછી, વિધિ-વિધાન અનુસાર ભગવાન કૃષ્ણની પૂજા કરો. ભગવાન શ્રીકૃષ્ણને પંચામૃત, ફળ અને મીઠાઈઓ અર્પણ કરો. 
 
- માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું વિશેષ મહત્વ છે. ચંદ્ર દેવની પૂજા કર્યા પછી જ પૂર્ણિમાના ઉપવાસ તોડવા જોઈએ. આ દરમિયાન, કાચું દૂધ અને શાકર મિક્સ કરો. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ ઝડપથી વધે છે અને બધી સમસ્યાઓ દૂર થાય છે. કુંડળીમાં ચંદ્ર મજબૂત થાય છે.