સંબંધિત સમાચાર
- સુશાંત સિંહ રાજપૂતે રાત્રે 12 વાગ્યે કયા અભિનેતાને ફોન કર્યો હતો?
- ડિપ્રેશનમાં હતા સુશાંત સિંહ રાજપૂત, પોલીસને મળેલ દસ્તાવેજ મુજબ ચાલી રહી હતી સારવાર
- બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કર્યુ, મુંબઈમાં તેમના ઘરમાં લગાવી ફાંસી
- Stress and health- ખાવા-પીવાની આ 8 ટેવ નાખી શકે છે તમારા મગજ પર અસર
- અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ
Sushant Singh Rajput ના મોત પર કંઈક આવુ હતુ અંકિતા લોખંડેનુ રિએક્શન
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. પોલીસને તેમનો મૃતદેહ મુંબઇના બાંદ્રાના એક ફ્લેટમાં મળ્યો હતો. જોકે, હજી સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. બીજી બાજુ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અભિનેત્રી અંકિતા લોખંડે પણ તેમના મૃત્યુના સમાચારથી ચોંકી ગઈ.
Photo : Instagram
ઉલ્લેખનીય છે કે આ બંનેના બ્રેકઅપ પછી જ્યારે અફવાઓએ જોર પકડ્યું હતું, ત્યારે સુશાંત, અંકિતાના બચાવમાં આવ્યો હતો અને તેને ખોટી સાબિત થવા દીધી નહોતી. મીડિયા રિપોર્ટ અનુસાર અંકિતાને ફોન પર સુશાંતની આત્મહત્યા વિશે જાણ થઈ અને જેવુ તેને બતાવવામાં આવ્યુ તે જોરતહી 'શુ....!!' કહીને ચીસ પાડી ઉડી અને તેણે ફોન મુકી દીધો.
બંને પવિત્ર રિશ્તા થી ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે ઝલક દિખલા જા માં પણ સાથે જોવા મળ્યા. બંનેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા. પણ અચાનક થયેલ બ્રેકઅપે આ બંનેના પ્રશંસકોને નિરાશ કરી દીધા.
સુશાંત અને અંકિતાના બ્રેકઅપ પછી અનેક પ્રકારની અફવાહો ઉડી. જેના પર સુશાંતે અંકિતાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ, 'ન તો અંકિતા અલ્કોહલિક છે અને ન તો હુ વુમેનાઈઝર છુ. તેમણે કહ્યુ હતુ 'લોકો બસ એકબીજાથી દૂર થઈ જાય છે અને આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.