શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ચાઇલ્ડ કેર
Written By

Woman care- જાણો પ્રેગ્નેંસીમાં દાડમ ખાવુ શા માટે ફાયદાકારી

ગર્ભાવસ્થામાં મહિલાઓ તેમની ડેલી ડાઈટનો ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. જેથી મા અને ગર્ભમાં પળી રહ્યા બાળકનો સારું વિકાસ થઈ શકે. તેના માટે ડેલી ડાઈટમાં દાડમ શામેલ કરવુ બેસ્ટ ઑપ્શન છે. એક્સપર્ટસના મુજબ આ દરમિયાન દાડમનો સેવન ફાયદાકારી હોય છે. તેમાં વિટામિન એ, સી, કે, ફાઈબર, આયરન, પોટેશિયમ વગેરે તત્વ અને એંટી ઑક્સીડેંટસ ગુણ હોય છે. તેનો સેવન કરવાથી થાક, નબળાઈ દૂર થઈ સારું વિકાસ થવામાં મદદ મળે છે. તો ચાલો જાણીએ અમે તમને પ્રેગ્નેંસીમાં દાડમ ખાવાના ફાયદા જણાવે છે. 
 
લોહી વધારે 
દાડમમાં વિટામિન સી વધારે હોય છે. તેના ખાદ્ય પદાર્થથી આયરન બનાવવામાં મદદ મળે છે. તેની સાથે જ વિટામિન સી આયરનને શરીરને શોષવામાં મદદ કરે છે. શરીરમાં પૂરતો આયરન અને વિટામિન સી થતા પર આયરન ડેફિસિએંસી એનીમિયાનો ખતરો ઓછુ થઈ જાય છે. તેમજ  ગર્ભમાં પળી રહ્યા બાળકના વધુ સારા વિકાસમાં મદદ કરે છે.
 
ઈમ્યુનિટી વધારવામાં ફાયદાકારી 
દાડમ ખાવુ કે તેનો જ્યુસ પીવાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. થાક અને નબળાઈ દૂર થઈ દિવસભર શરીર તાજગી ભરેલુ રહે છે. 
 
સારું પાચન તંત્ર 
દાડમમાં ફાઈબર, પોટેશિયમ વધારે હોય છે. તેના સેવન કરવાથી પાચનમાં સુધાર આવે છે. તેથી કબ્જિયાત, અપચ અને પેટ સંબંધી બીજી સમસ્યાઓથી રાહત મળે છે. ખાસ કરીને તેનો જ્યુસ પીવાથી પ્રેગ્નેંસીમાં 
થતી એંઠનથી રાહત મળે છે. 
 
બાળકનો મગજનો વિકાસ 
ગર્ભમાં વિકસિત બાળકનો માનસિક વિકાસ માટે ફોલેટની જરૂર હોય છે. તેથી દરરોજ 1 ગ્લાસ દાડમનો જ્યુસ પીવાથી ફોલેટની જરૂરિયાત 10 ટકા પૂર્ન કરી શકાય છે. ફોલેટ ભૂણના ન્યુરલ ટ્યૂબ અને તંત્રિકા 
તંત્રના વિકાસમાં ફાયદાકારી હોય છે. 
-ગર્ભાવસ્થા દરમિયાન દાડમનો સેવન થોડી સાવધાનીથી કરવુ જોઈએ નહી તો નુકશાન પણ થઈ શકે છે.  
- દાડમનો જ્યુસ કેટલીક દવાઓ પર અસર નાખી શકે છે તેથી કોઈ પણ દવા કે દાડમનો જ્યુસનો સેવન કરતા પહેલા એક વાર ડાક્ટરની સલાહ લેવી. 
- દાડમમાં વધારે માત્રામાં કેલોરી હોય છે. તેથી આ દરમિયાન તેનો વધારે સેવન કરવાથી વજન વધવાની પરેશાની થઈ શકે છે. 
- પ્રેગ્નેંસી દરમિયાન દાડમનો સપ્લીમેંટ કે અર્કન સેવનને લઈને કોઈ શોધ મથી. તેથી તેમો સેવન કરવાથી બચવું%. તેની જગ્યા દાડમનો તાજુ જ્યુસ પીવુ સારું રહેશે. 
- વધારે દાડમનો સેવન કરવાથી દાંતના એનેમલ ખરાબ કરી શકે છે. તેથી ઓછી માત્રામાં લેવી સાથે જ દાડમના સેવન પછી કોગળા કરી લો.