શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (17:57 IST)

ગુજરાતમાં ગરબા વિવાદ શરૂ, ખેલૈયાની સારવાર ન કરવાની ચિમકી ઉચ્ચારી

ગુજરાતમાં કોરોના વધતા કેસ વચ્ચે સરકાર નવરાત્રિ દરમિયાન ગરબા માટે છૂટછાટ આપવા અંગે વિચારી રહી છે. તો બીજી તરફ ડોક્ટર એસોશિયન સરકારની આ વિચારણાથી નારાજ હોવા મળી રહ્યું છે.  કારણ કે જો ગરબાની મંજૂરી જોખમી સાબિત થઇ શકે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોશિયને સરકારને ચીમકી ઉચ્ચારી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે ગરબાના કારણે કોરોનાનું સંક્રમણ થનાર ખેલૈયાઓની સારવાર નહીં કરીએ. 
 
હાલ સોશિયલ મીડિયામાં અનેક મેસેજો વાયરલ થયા છે, જેમાં નવરાત્રિ દરમિયાન કોઈ સંક્રમિત થાય તો તેની સારવાર કરવામાં નહી આવે. અમદાવાદ મેડિકલ એસોસિએશન ગરબાની મંજૂરીની વિરૂધ્ધમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોશિયને કહ્યું કે રાજ્ય સરકારે ગરબાની મંજૂરી ન આપવી જોઈએ. તો બીજી તરફ ડેકોરેટર્સ અને ગરબા ઓર્ગેનાઈઝર્સ સામસામે સરકાર પર દબાણ લાવી રહ્યાં છે.
 
ડોક્ટર્સ તરફથી સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, સરકાર નવરાત્રિની છૂટ આપવાનું વિચારે છે ત્યારે ડોક્ટર્સને પુરો હક છે કે ગરબા રમીને કે ગરબા ગ્રાઉન્ડમાં જઈને કોરોના પોઝિટીવ થયા હોય તો એની સારવાર કરવામાં અસહમતિ કે અસમર્થતા દેખાડી શકે છે.
 
માર્ચ મહિનાથી કોરોના સામે લડવા માટે કોરોના વોરિયરર્સ બનીને ઉભેલા દરેક મેડિકલ પ્રોફેશનની અને તેમની જીંદગીની કંઈક તો કદર અને કીંમત કરો. દર્દીઓની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, પણ પોતાના શોખને પોષવાની અને ભીડમા ધરાર જવાની મૂર્ખાઈને કારણે બની બેઠેલા દર્દીઓની ચાકરી કરવાનું લખાવીને આવ્યા નથી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારના મેસેજ જોતાં લાગી રહ્યું છે કે ડોક્ટર્સને ગુસ્સો હોય શકે છે. પરંતુ ડોક્ટરની ફરજ છે કે દર્દીની સારવાર કરવી અને ડોક્ટર કોઈપણ સંજોગોમાં દર્દીની સારવાર કરે જ, પરંતુ સરકારે ગરબાને મંજૂરી આપવી કે નહી તેને લઇને દ્વીખામાં મુકાઇ છે.